Gujarati News

Gujarati News

News of Monday, 15th November 2021

ટંકારા નજીકના અકસ્માત મૃત્યુના કેસમાં એક કરોડ ૩પ લાખનું વળતર મંજુર

રાજકોટ તા. ૧પઃ અત્રે અકસ્માતમાં અવસાન પામનાર બેંક કર્મચારીના વારસદારોને કલેઇમ ટ્રીબ્યુનલે એક કરોડ પાત્રીસ લાખનું વળતર મંજુર કર્યું હતું.

મોરબીની આંધ્ર બેંકના નોકરી કરતા અમિત રંજન પ્રિયરંજન પ્રસાદનું ટંકારા નજીક ટ્રાવેલસની બસ પલ્ટી ખાઇ જતા સર્જાયેલ અકસ્માતમાં અવસાન થયેલ હતું.

તેમના વારસદારોએ રાજકોટની મોટર એકસીડન્ટ કલેઇમ ટ્રીબ્યુનલમાં વળતર મેળવવા માટે દાવો કરતા નામ. ટ્રીબ્યુનલ તરફથી તે દાવો મંજુર કરવામાં આવતા બસની બસની વિમા કાું. રીલાયન્સ જનરલ ઇન્સ્યોરન્સ કંપની એ અકસ્માતમાં અવસાન પામનાર અમિત રંજન પ્રિયરંજન પ્રસાદના વારસદારોને રૂ. ૧,૩પ,૦૦,૦૦૦/- અંકે રૂપિયા એક કરોડ પાત્રીસ લાખ જેવી જંગી રકમ વળતર પેટે ચુકવી આપેલ છે.

ઉપરોકત વળતરના કલેઇમ કેસમાં સ્વ. અમિત રંજનના વારસદારો વતી રાજકોટના વકીલશ્રી એમ. એ. સુરૈયા તથા તેમના આસી. તરીકે સાકેતભાઇ મોરડીયા રોકાયેલા હતા.

(4:26 pm IST)