Gujarati News

Gujarati News

News of Monday, 15th November 2021

વિશ્વકર્મા સોસાયટીમાં ભાગવત કથાઃ વિવિધ પ્રસંગોની ઉજવણી

રાજકોટઃ શહેરના સાધુવાસવાણી રોડ પર ગંગોત્રી ડેરીની સામે આવેલા વિશ્વકર્મા સોસાયટી, નં.૪ ખાતે ભાગવત  કથાકાર પૂ.લક્ષ્મણ મહારાજના વ્યાસાસને આયોજીત શ્રીમદ્દ ભાગવત સપ્તાહમાં કપીલ જન્મ, નૃસિંહ જન્મોત્સવ, વામન જન્મ, રામ જન્મ, કૃષ્ણ જન્મ, ગીરીરાજ પૂજા, રૂક્ષ્મણી વિવાહના પ્રસંગો ધામધૂમથી ઉજવાયા હતા. ધર્મોત્સવને સફળ બનાવવા સપનાબેન ચાવડા, જયશ્રીબેન કંસારા, પારૂલબેન વડેરા, ચંદુભા ભાટી, સોનલબેન ઘેલાણી, ગીતાબેન ભટ્ટ, જાગૃતિબેન ગોંડલીયા, જયાબેન વસોયા, ચંદુભાઈ કોટક તેમજ સોસાયટીના પ્રમુખ કિર્તીભાઈ કંસારા, દિલસુખભાઈ ગોંડલીયા, ભરતભાઈ ભટ્ટ, ભરતભાઈ પાનસુરીયા, ભુપતભાઈ વસોયા તેમજ કારોબારી ટીમ જહેમત ઉઠાવી હતી. તેમ કિર્તીભાઈ કંસારા મો.૯૮૨૫૧ ૬૦૯૭૪ની યાદીમાં જણાવાયું છે.

(4:29 pm IST)