Gujarati News

Gujarati News

News of Saturday, 16th January 2021

ટૂંક સમયમાં રસીકરણ માટે ૧૦૦ કેન્‍દ્રો શરૂ થઇ જશેઃ ઉદિત અગ્રવાલ

ર૦૦૦ સામાન્‍ય નાગરિકોને પણ અપાશે રસી

રાજકોટ : આજથી રાજકોટમાં કોરોનાં વેકસીનેશનનો ૬ કેન્‍દ્રોમાં પ્રારંભ થયો છે. ત્‍યારે હવે આગામી દિવસોમાં ૧૪,પ૦૦ ડોકટર-નર્સીંગ, સ્‍વીપર, કોરોના વોરિયર્સ અધિકારી-કર્મચારીઓ ઉપરાંત ર૦૦૦, પ૦ વર્ષથી વધુની વયના સામાન્‍ય નાગરીકો સહિત કુલ ૧૬,પ૦૦ લોકોને રસી મુકવાની હોઇ આ માટે મ.ન.પા.એ પૂર્ણ તૈયારી કરી લીધી છે. અને હવે પછી ટૂંક સમયમાં જ ૧૦૦ જેટલી જગ્‍યાએ રસી કેન્‍દ્રો શરૂ થઇ  જશે. તેમ મ્‍યુ. કમિશનર ઉદિત અગ્રવાલે જાહેર કર્યુ હતું. આ નવા કેન્‍દ્રો, અન્‍ય આરોગ્‍ય કેન્‍દ્ર, આંગણવાડીઓ વગેરે સ્‍થળોએ અપાશે તેમ તેઓએ જણાવેલ.

(3:22 pm IST)