Gujarati News

Gujarati News

News of Sunday, 16th May 2021

રાજકોટમાં “તૌકતે” વાવાઝોડાની સંભવિત પરિસ્થિતિને પગલે કાલે તથા મંગળવારે વેક્સીનેસન બંધ : મ્યુનિ.કોર્પોરેશન તંત્રની સતાવાર જાહેરાત

રાકોટ: આગામી સમય દરમ્યાન ‘‘તૌકતે’’ વાવાઝોડાની મહતમ અસર સૌરાષ્ટ્રના વિસ્તારોમાં થવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે ત્યારે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પણ સંભવિત પરિસ્થિતિને પગલે આગામી બે દિવસ તા. ૧૭ અને તા. ૧૮ ના રોજ શહેરના તમામ વેક્સીન કેન્દ્રો ખાતે વેક્સીનેસન કામગીરી બંધ રહેશે.તેમ મ્યુનિ.કોર્પોરેશનની સતાવાર યાદીમાં જણાવાયુ છે.

(1:50 pm IST)