Gujarati News

Gujarati News

News of Thursday, 16th June 2022

સાંઈરામ દવેના હાસ્‍યના બે પુસ્‍તકોનું કથાકાર જીજ્ઞેશદાદાના હસ્‍તે વિમોચન

વંદે હાસ્‍યમ અને એકાવન સ્‍માઈલી પુસ્‍તકોનું લોકાર્પણઃ ગૃહમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્‍થિતિ

રાજકોટઃ કન્‍વેન્‍શન સેન્‍ટર, સરસાણા સુરત ખાતે રમત ગમ, યુવા અને સાંસ્‍કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા ‘વીરાંજલિ' કાર્યક્રમનું આયોજન થયેલ હતું. આ કાર્યક્રમમાં પ્રસિધ્‍ધ હાસ્‍યકાર અને કટાર લેખક સાંઈરામ દવેના હાસ્‍ય- સાહિત્‍યના બે પુસ્‍તકો ‘વંદે હાસ્‍યમ' તથા ‘એકાવન સ્‍માઈલી'નું વિમોચન થયું. ગૃહમંત્રી હર્ષ સંઘવી તથા ભાગવત કથાકાર જીગ્નેશ દાદાએ આ બંને પુસ્‍તકોનું લોકાર્પણ કર્યું હતું. આશરે પંદર હજાર જેટલી જનમેદનીએ આ ઉપક્રમને હોંશભેર વધાવ્‍યો હતો. અત્રે નોંધનીય છે કે આ બંને પુસ્‍તકો આર.આર.શેઠ પ્રકાશનમાંથી બહાર પાડેલ છે. હળવીફૂલ હાસ્‍ય કવિતાઓ અને લેખ રજૂ કરતાં પુસ્‍તકો વાંચકોને અવશ્‍ય ગમશે એવી સાંઈરામે શ્રધ્‍ધા વ્‍યકત કરી હતી

 

(10:43 am IST)