Gujarati News

Gujarati News

News of Thursday, 16th June 2022

પામોલીનમાં ર૦ કપાસીયા તેલમાં વધુ ૧૦ રૂા.નો ઘટાડો

રાજકોટ, તા. ૧૬ : ખાદ્યતેલોમાં મંદીનો દોર જારી છે. આજે પામોલીનમાં વધુ ર૦ અને કપાસીયા તેલમાં ૧૦ રૂાનો ઘટાડો થયો હતો. પામતેલની આયાતો વધતા ખાદ્યતેલોના ભાવો તૂટી રહ્યા છે. પામતેલમાં વધુ ર૦ રૂા.ના ઘટાડો થતા પામતેલ લુઝના ભાવ ૧૪૦૦ રૂા. હતા તે ઘટીને ૧૩૮૦ તથા પામટીનના ભાવ રરપપ થી રર૬૦ રૂા. હતા. તે ઘટીને રર૩પ થી રર૪૦ રૂા. થયા હતા. કપાસીયા તેલમાં ૧૦ રૂા. તૂટતા કપાસીયા તેલ લુઝના ભાવ ઘટીને ૧૪૭૦ અને કપાસીયા ટીનના ભાવ ઘટીને રપ૬૦ થી ર૬૧૦ રૂા. થયા થયા હતા. સીંગતેલમાં પ રૂા. ના ઘટાડા સાથે નવા ટીનના ભાવ ઘટીને ર૭૧પ થી ર૭૬પ રૂા. થયા હતા.

(4:42 pm IST)