Gujarati News

Gujarati News

News of Friday, 16th July 2021

પૂ. શ્રી રણછોડદાસજીબાપુ આશ્રમે ર૪મીએ ગુરૂપૂર્ણિમાએ દર્શન ખુલ્લા રહેશે

મહાપ્રસાદ બંધ તથા ઘરબેઠા લાઇવ દર્શનની પણ વ્યવસ્થા

રાજકોટ તા. ૧૬: શ્રી રામચંદ્ર ભગવાન સ્વરૂપ પૂજયશ્રી સદ્દગુરૂદેવ ભગવાનશ્રી રણછોડદાસજીબાપુની અસીમ કૃપાથી તથા પ્રેરણાથી શ્રી સદ્દગુરૂ સદન ટ્રસ્ટ (પ. પૂ. શ્રી રણછોડદાસજીબાપુ આશ્રમ) શ્રી સદ્દગુરૂ આશ્રમ રોડ, રાજકોટ ખાતે તા. ર૪ના શનિવારે ''શ્રી ગુરૂ પૂર્ણિમાં'' દર્શન ચાલુ રહેશે તથા ઘેર બેઠા પણ લાઇવ દર્શન નિહાળી શકાશે. ગુરૂપૂર્ણિમાં નિમિતે પ. પૂ. શ્રી સદ્દગુરૂદેવ ભગવાનશ્રી રણછોડદાસજીબાપુશ્રીની ઝાંખી, દર્શન, ચરણપાદુકા દર્શનનો લાભ ધર્મપ્રેમીભાઇ-બહેનો આખો દિવસ લઇ શકશે. તથા કોરોના (કોવિડ-૧૯) ને કારણે મહાપ્રસાદ બંધ રાખેલ હોવાનું શ્રી સદ્દગુરૂ સદન ટ્રસ્ટ (મો. ૯પ૮૬૩ ૦૮૧૭૮) ની યાદીમાં જણાવાયું છે.

(2:27 pm IST)