Gujarati News

Gujarati News

News of Friday, 16th July 2021

સરગમ કલબ દ્વારા હરિદ્વારમાં અસ્થિપૂજન

 સરગમ કલબના ઉપક્રમે હરીદ્વાર મુકામે ગંગાઘાટ ઉપર હરકીપૌડી અસ્થિઘાટ ઉપર રાજકોટના રામનાથપરા મુકિતધામમાં તા. ૧ જાન્યુઆરીથી ૩૦ જુન સુધીના લાકડા અને વિદ્યુત વિભાગમાં કુલ ૪૨૦૦ વ્યકિતને અગ્નિદાહ અપાયેલ તે તમામ વ્યકિતના અસ્થિઓનું તેમનું નામ લઇને ગંગાજીમાં પધરામણી કરાઇ હતી. બાદમાં સાધુ સંતોને જમાવડવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે સરગમ કલબ અને સરગમ લેડીઝ કલબના કમીટી મેમ્બરો પોતાના સ્વખર્ચૈ અસ્થિ વિસર્જનમાં જોડાયા હતા. આ સેવાકીય કાર્ય માટે ગુણવંતભાઇ ડેલાવાળાની આગેવાની હેઠળ રમેશભાઇ અકબરી, મનસુખભાઇ ધંધુકીયા, નરેન્દ્રભાઇ આડેશરા, ભરતભાઇ સોલંકી, રાજેન્દ્રભાઇ શેઠ, કનૈયાલાલ ગજેરા, અલ્કાબેન કામદાર, ગીતાબેન હિરાણી, જયશ્રીબેન વ્યાસ, ચેતનાબેન સવજાણી, મધુરીકાબેન જાડેજા, જયશ્રીબેન મહેતા, મીનાક્ષીબેન જોશી વગેરે સાથે જોડાયા હતા. તમામ મેમ્બરોએ હરિદ્વારમાં અસ્થિ પૂજન સેવા કાર્યમાં સહયોગ આપ્યો હતો. તે સમયની તસ્વીરો નજરે પડે છે.

(2:28 pm IST)