Gujarati News

Gujarati News

News of Friday, 16th July 2021

ડો.વિરલ બલદાણીયાની તંદુરસ્ત પ્રગતિ : ઓમ હોસ્પિટલનો ૬ઠ્ઠામાં વર્ષમાં શુભારંભ : કોરોના કાળમાં યશસ્વી કામગીરી

રાજકોટ, તા. ૧૭ : નાની વયે દર્દીઓની સચોટ અને સફળ સારવાર કરી લોકચાહના મેળવનાર જાણીતા તબીબ ડો.વિરલ બલદાણીયાની ઓમ હોસ્પિટલે પાંચ વર્ષ પૂર્ણ કરી છઠ્ઠામાં વર્ષમાં પ્રવેશ કર્યો છે.

ડો.વિરલ બલદાણીયાની ગાયત્રીનગર મેઈન રોડ, ભકિતનગર સર્કલ, ઓમ હોસ્પિટલ આધુનિક સુવિધાઓથી સજ્જ છે. ડો.વિરલ બલદાણીયાની ઓમ હોસ્પિટલમાં ઈન્ડોર વિભાગ, ડિલકસ રૂમ, સ્પેશ્યલ રૂમ, સેમી સ્પેશ્યલ રૂમ, આઈસીયુ વિભાગ, ઈસીજી મલ્ટીપેરા મોનીટર ડીફીબીલેટર, ઈન્ફયુઝન પમ્પ, નેબ્યુલાઈઝર, સેન્ટ્રલ ઓકિસઝન લાઈન, લેબોરેટરી, મેડીકલની સુવિધા ઉપલબ્ધ છે.

કોરોનાની મહામારીમાં ઓમ હોસ્પિટલના ડો.વિરલ બલદાણીયાએ દર્દીઓની વચ્ચે રહીને સારવાર કરીને ખરા અર્થમાં કોરોના વોરીયર પૂરવાર થયા છે. કોરોનાની બીજી લહેરમાં ડો.વિરલ બલદાણીયા તેમની ઓમ હોસ્પિટલમાં ૨૪ કલાક દર્દીઓની સેવા માટે હાજર રહીને દરરોજ ૧૫૦ થી વધુ કોવિડ-૧૯ના દર્દીને તપાસતા હતા. દર્દીના દર્દ ઝડપથી પારખી જનાર ડો.વિરલ બલદાણીયાએ ઓછા ખર્ચે હજારો કોરોના દર્દીઓની સફળ સારવાર કરીને ભારે લોકચાહના મેળવી છે.

ઓમ હોસ્પિટલમાં છેલ્લા પાંચ વર્ષમાં સેંકડો દર્દીઓએ સારવાર કરાવી છે. આવનારા દિવસોમાં ઓમ હોસ્પિટલમાં અનેકવિધ તબીબી સારવાર ઉપલબ્ધ થશે. ડો. વિરલ બલદાણીયા જૂના એસટી બસ સ્ટેશન પાછળ આવેલ શ્રી કૃષ્ણ ચિકિત્સાલયમાં સેવા આપે છે. ઉપરાંત બ્લડ ડોનેશન કેમ્પ અને આરોગ્યલક્ષી કેમ્પમાં સેવા આપે છે.

ડો.વિરલ બલદાણીયાએ અમદાવાદની બી.જે.મેડીકલ કોલેજમાં એમ.બી.બી.એસ. અને એમડીનો અભ્યાસ પૂર્ણ કરી મુંબઈની જાણીતી બોમ્બે હોસ્પિટલમાં ક્રિટીકલ કેરની ફેલોશીપ મેળવી છે. તબીબી ક્ષેત્રે બહોળો અનુભવ ડો.વિરલ બલદાણીયા ધરાવે છે. ઓમ હોસ્પિટલમાં ડો.મમતાબેન બલદાણીયા (બીએચએમએસ)ની સેવા ઉપલબ્ધ છે.

રાજકોટની સહયોગ હોસ્પિટલ તેમજ જયનાથ હોસ્પિટલમાં લાંબી સેવા આપી ભારે નામના મેળવી છે.

ઓમ હોસ્પિટલ

ગાયત્રીનગર મેઈન રોડ, ભકિતનગર સર્કલ પાસે, રાજકોટ. ફોન - ૦૨૮૧-૨૩૬૦૩૩૬

(3:08 pm IST)