Gujarati News

Gujarati News

News of Friday, 16th July 2021

ભાજપ બક્ષીપંચ મોરચાનાં પ્રદેશ પ્રમુખ ઉદય કાનગડ દ.ગુજરાતનાં પ્રવાસેઃ સંગઠનનાં માધ્યમથી સામાજીક કાર્યોનો પ્રારંભ

રાજકોટ : ભાજપનાં બક્ષીપંચ મોરચાનાં પ્રદેશ પ્રમુખ મોરચાનાં સંગઠનને વધુ મજબુત બનાવવા અને કાર્યકરોનાં માધ્યમથી લોકસેવાનાં કાર્યોને વેગ આપવાનાં હેતુથી ગઇકાલથી રવિવાર સુધી ૪ દિવસ માટે દક્ષિણ ગુજરાતનાં મુખ્ય શહેરોનો ઝંઝાવાતી  પ્રયાસ શરૂ કર્યો છે. જેની પ્રથમ તસ્વીરમાં શહેરોમાં શ્રી કાનગડનું સ્વાગત કરતાં હોર્ડીગ્સ બોર્ડ લગાવેલા દર્શાય છે. અન્ય તસ્વીરમાં પ્રદેશ પ્રમુખનું સ્વાગત કરી રહેલા બક્ષીપંચ મોરચાના આગેવાનો - કાર્યકરો દર્શાય છે. તેમજ શ્રી કાનગડનાં હસ્તે કોરોનાં મહામારીમાં મૃત્યુ પામનાર વ્યકિતનાં પરિવારજનોને કિટની સહાય વિતરણ કરાયુ હતું તે નજરે પડે છે. ગઇકાલે શ્રી કાનગડે સુરત બાદ આજે તા. ૧૬ નાં નવસારી તેમજ આવતીકાલે તા. ૧૭ નાં રોજ વલસાડ અને તા. ૧૮ ને રવિવારે તાપી વગેરે સ્થળનો પ્રવાસ કરશે.  આજે તેઓએ નવસારી ખાતે  સામાજીક આગેવાનો સાથે બેઠક યોજી હતી, તેમજ શહેરનાં ઐતિહાસિક સ્થળ દાંડી તેમજ અન્ય ઐતિહાસીક સ્થળો ઉનાઇ માતાજીનાં દર્શન વગેરે કાર્યક્રમો આપ્યા હતાં. કાલે તા. ૧૭ નાં રોજ બક્ષીપંચ મોરચાની બેઠક તેઓ વલસાડ ખાતે યોજશે. ત્યારબાદ  અનાજ - કિટનું વિતરણ કરશે ત્થા સાંજે ભિલાડમાં વૃક્ષારોપણ, અને હનુમાનજી મંદિરનાં દર્શન, તડકેશ્વર મહાદેવ મંદિર વગેરે સ્થળની મુલાકાત લેશે. અને રવિવારે તાપી તેમજ સુરત થઇ ને આ સંગઠનાત્મક પ્રવાસને પુર્ણ વિરામ આપનાર છે. તેમ શ્રી કાનગડે એક યાદીમાં જણાવ્યું છે.

(3:20 pm IST)