Gujarati News

Gujarati News

News of Friday, 16th July 2021

વોર્ડ નં. ૪ના અનેક વિસ્તારોમાં પાણીના ધાંધિયા

તાકિદે પ્રશ્ન ઉકેલવા વિપક્ષી નેતા ભાનુબેન સોરાણી, પૂર્વ કોર્પોરેટર રેખાબેન ગજેરાની આગેવાનીમાં વિસ્તારવાસીઓ દ્વારા મ્યુ. કમિશનરને રજૂઆત

રાજકોટ તા. ૧૬ :.. શહેરના વોર્ડ નં. ૪ માં મોટા ભાગના વિસ્તારોમાં દુષિત પાણી તથા ઓછા ફોર્સથી પાણી વિતરણ પ્રશ્ને યોગ્ય કરવા વિપક્ષી નેતા ભાનુબેન સોરાણી, પૂર્વ કોર્પોરેટર રેખાબેન ગજેરાની આગેવાનીમાં વિસ્તારવાસીઓ દ્વારા મ્યુ. કમિશનરને રજૂઆત કરવામાં આવી હતી. આ અંગે લતાવાસીઓએ પાઠવેલ પત્રમાં જણાવ્યું હતું કે, વોર્ડ નં. ૪ માં આવેલ ઇન્દ્રપ્રસ્થ-ર, ચિંતનપાર્ક, શિવરંજની, રામપાર્ક, કુવાડવા રોડ, રઘુવીર પાર્ક, તથા રપ વારીયાના  પ૪-૩, સહિતના અનેક સોસાયટીઓમાં પીવાનું પાણી ભર ચોમાસે ઓછા ફોર્સથી તથા દુષિત પાણી આવતુ હોઇ જરૂરીયાત મુજબ પીવાનું પાણી ઉપલબ્ધ થતુ નથી. પાણી પ્રશ્ન તાકીદે ઉકેલવા લતાવાસીઓ દ્વારા માંગ કરવામાં આવી છે.

(3:47 pm IST)