Gujarati News

Gujarati News

News of Friday, 16th July 2021

કાગદડીના મહંત જયરામદાસજી મહારાજ આત્મહત્યા કેસમાં ધારાશાસ્ત્રી રક્ષિત કલોલા અને ડો. નિલેશ નિમાવતના આગોતરા જામીન મંજૂર : સત્તાવાર જાહેરાત

રક્ષિત કલોલા વતી સુપ્રસિદ્ધ ધારાશાસ્ત્રી શ્રી પ્રેમલ રાચ્છ અને ડો. નિમાવત વતી ગુજરાતના નામાંકિત ધારાશાસ્ત્રી શ્રી યોગેશભાઇ લાખાણીએ દલીલો કરી

રાજકોટ : કાગદડીના મહંત પૂજ્ય જયરામદાસજી મહારાજના ચકચારી  આત્મહત્યા કેસમાં રાજકોટના ધારાશાસ્ત્રી શ્રી રક્ષિત કલોલા અને જાણીતા સર્જન ડો. નિલેશ નિમાવતના આગોતરા જામીન ગુજરાત હાઈકોર્ટે મંજૂર કર્યાનું જાણવા મળે છે.

શ્રી રક્ષિત કલોલા વતી સુપ્રસિદ્ધ ધારાશાસ્ત્રી શ્રી પ્રેમલ રાચ્છ અને ડો. નિમાવત વતી ગુજરાતના નામાંકિત ધારાશાસ્ત્રી શ્રી યોગેશભાઇ લાખાણીએ દલીલો કરી હતી. આ બાબતે કોર્ટે સત્તાવાર જાહેરાત કરી છે.

(10:09 pm IST)