Gujarati News

Gujarati News

News of Tuesday, 16th August 2022

બેભાન હાલતમાં વાલાભાઇ ડાંગર અને લાલાભાઇ ચારોલીયાના મોત

મનહરપુરના પ્રોૈઢ અને એલઆઇસી પાસે પટમાં રહેતાં વૃધ્‍ધે સિવિલમાં દમ તોડયો

રાજકોટ તા. ૧૬: બેભાન હાલતમાં પ્રોૈઢ અને વૃધ્‍ધના સિવિલ હોસ્‍પિટલમાં મૃત્‍યુ નિપજ્‍યા હતાં. જામનગર રોડ પર મનહરપુર-૧માં રહેતાં વાલાભાઇ લાખાભાઇ ડાંગર (ઉ.૫૫) સાંજે ઘરે બેભાન થઇ જતાં સિવિલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ દમ તોડી દીધો હતો.

બીજા બનાવમાં મહિલા કોલેજ અન્‍ડર બ્રિજ એલઆઇસી ઓફિસ પાછળ રાજુભાઇ ઢોસાવાળાની પાસે પટમાં રહી ફુગ્‍ગા રમકડા વેંચતા લાલાભાઇ બીજલભાઇ ચારોલીયા (ઉ.૭૦) બેભાન થઇ જતાં સિવિલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મોત નિપજ્‍યું હતું. હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે યુનિવર્સિટી અને માલવીયાનગર પોલીસને જાણ કરી હતી.

(11:52 am IST)