Gujarati News

Gujarati News

News of Tuesday, 16th August 2022

એક મહિના પહેલા પડી ગયેલા કાજલબેનનું મોત

રેલનગર છત્રપતિ શિવાજી ટાઉનશીપમાં બનાવ : બે સંતાન મા વિહોણાઃ વાળંદ પરિવારમાં શોક

રાજકોટ તા. ૧૫: રેલનગર છત્રપતિ ટાઉનશીપમાં રહેતાં કાજલબેન મુકેશભાઇ માંડવીયા (વાળંદ) (ઉ.વ.૩૬) એક મહિના પહેલા પોતાના ઘરમાં કચરા પોતા કરતી વખતે પડી જતાં માથામાં ઇજા થતાં સારવાર બાદ ઘરે આરામમાં હતાં. બે દિવસ પહેલા તબિયત ફરી બગડતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. અહિ સારવાર દરમિયાન દમ તોડી દેતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.

હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે પ્ર.નગર પોલીસને જાણ કરી હતી. મૃત્‍યુ પામનાર કાજલબેનને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. જે મા વિહોણા થયા છે. પતિ મુકેશભાઇ ઓનલાઇન કંપનીના કુરીયરનું કામ કરે છે.

(1:57 pm IST)