Gujarati News

Gujarati News

News of Tuesday, 16th August 2022

આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત ભ્રષ્ટાચાર વિરોધી જાગૃતિ રેલી યોજતું એસીબી

રાજકોટઃ આઝાદીના અમૃત મહોત્સવ નિમીતે એન્ટી કરપ્શન વિભાગ દ્વારા ભ્રષ્ટાચાર  અંગે જાગૃતિ ફેલાવવા રાજકોટના રાજમાર્ગો પર ત્રિરંગા રેલી યોજવામાં આવી હતી. આ રેલી મદદનીશ નિયામક એ. પી. જાડેજાની આગેવાની હેઠળ નીકળી હતી. દેશ ભકિતના સુત્રોચ્ચાર સાથે નીકળેલી આ રેલીએ એન્ટી કરપ્શન વિભાગના ટોલ ફ્રી નંબર ૧૦૬૪ ઉપર લાંચ સંબંધીત કોઇપણ ફરિયાદો નોંધાવવા પ્રજાજનોને અપિલ કરી હતી.

(3:10 pm IST)