Gujarati News

Gujarati News

News of Tuesday, 16th August 2022

આઝાદી અમૃત મહોત્‍સવઃ રાજયની જેલોમાં દેશભકિતના ઘોડાપુર

જેલ મુખ્‍યાલય ખાતે મુખ્‍ય જેલ વડા ડો.કે.એલ.એન. રાવ તથા જાણીતા મહિલા શિક્ષણવિદ્દ ઇન્‍દુરાવ હસ્‍તે ધ્‍વજવંદન

રાજકોટ તા.૧૬: આઝાદીના અમૃત મહોત્‍સવ અંતર્ગત લોકો દ્વારા ઘેર ઘેર તિરંગો ફરકાવી સ્‍વતંત્ર પર્વની ઉજવણી કરી રહ્યા છે, ત્‍યારે ગુજરાતના જેલ કેદીઓને પણ આ ઉત્‍સવ માટે ખૂબ ઉત્‍સાહી હતા

રાજયના મુખ્‍ય જેલ વડા અર્થાત્‌ જેલ મુખ્‍યાલય ખાતે ધ્‍વજવંદન કાર્યક્રમ યોજાયેલ, જેમાં રાજયના મુખ્‍ય જેલ વડા ડો.કે.એલ.એન.રાવ તથા જાણીતા શિક્ષણવિદ ડો.ઇન્‍દુરાવ હસ્‍તે મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત લોકો વચ્‍ચે ભારત માતા કી જયના નારા વચ્‍ચે થયેલ.

રાજકોટના જેલના જેલ સુપી.બંન્‍ને બેન જોશીના માર્ગદર્શન હેઠળ રાજકોટ જેલમાં કેદીઓ દ્વારા દેશભકિતના ગીતો અને પોલીસ જોડાયેલ તેવી તીરંગા યાત્રાએ પણ આકર્ષણ જગાવ્‍યુ હતુ.

(3:23 pm IST)