Gujarati News

Gujarati News

News of Wednesday, 16th September 2020

રાજકોટમાં આજે અધધધ 226 દર્દીઓએ કોરોના સામે જંગ જીત્યો : અત્યાર સુધીમાં કુલ 3127 દર્દીઓ સાજા થયા

રાજકોટ: શહેરમાં કોરોનાને લઈને રાહતના સમાચાર મળી રહ્યા છે. છેલ્લા સપ્તાહમાં રિકવરી રેટમાં વધારો થઈ રહ્યો છે તો બીજી તરફ દરરોજ 70 થી 230 કોરોના દર્દીઓ સાજા થતા હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી રહી છે. આજે શહેરમાં 226 દર્દીઓ સાજા થતા આજ દિવસ સુઘીમાં કુલ 3127 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. હાલ 1332 દર્દીઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

(6:59 pm IST)