Gujarati News

Gujarati News

News of Thursday, 16th September 2021

ગૌ- પાલક ગૌ- સેવક બાબુભાઈ વાંકની પ્રથમ પુણ્યતિથી નિમીતે શનિવારે ભવ્ય સંતવાણી

દેવરાજભાઈ ગઢવી, સાંઈરામ દવે જેવા કલાકારો જમાવટ કરશેઃ ઓનલાઈન કાર્યક્રમ

રાજકોટઃ ગૌ- પાલક ગૌ- સેવક અને ભામાશા સ્વ.બાબુભાઈ રામસુરભાઈ વાંકની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમીતે વાંક પરિવાર દ્વારા તા.૧૮ના શનિવારે રાત્રે ૮:૩૦ વાગ્યાથી ઓનલાઈન ભવ્ય સંતવાણીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં કલાકારો સર્વશ્રી દેવરાજભાઈ ગઢવી (નાનો ડેરો), અનુભા ગઢવી (લેખક- કવિ), સાંઈરામ દવે (સાહિત્યકાર), ગોવિંદભાઈ પાલીયા (લેખક- કવિ), મંગલભાઈ રાઠોડ, હિતેશ રાવળ અને જીતેશ રાવળ જમાવટ કરશે. સંતવાણીનો કાર્યક્રમ જીટીપીએલ ડાયરો ચેનલ નં.૨૮૩ ઉપર નિહાળવા મળશે. સ્થળઃ શ્રી ક્રિષ્ના ગૌ ધામ, મવડી- પાળ રોડ, રાજકોટ. 

(3:22 pm IST)