Gujarati News

Gujarati News

News of Thursday, 16th September 2021

આભાવલય ખાતે ધ્યાન-યોગ શિબિર

સોમવારથી શુક્રવાર સુધી ત્રણ બેચનું આયોજન

રાજકોટ, તા. ૧૬ : રાજકોટની ૧૫ વર્ષ જૂની પીસ ઓફ માઈન્ડ ફાઉન્ડેશન સંસ્થા દ્વારા ૨૦ સપ્ટેમ્બર સોમવાર થી ૨૪ સપ્ટેમ્બર શુક્રવાર સવારે ૭ થી ૮ (માત્ર બહેનો માટે) અને સાંજે ૫ થી ૬ અને ૬.૧૫થી ૭.૧૫ (ભાઈ બહેનો માટે) એમ કુલ ત્રણ બેચનુ છ દિવસની યોગ  ધ્યાન શિબિરનું આયોજન આભાવલર્યં વિનાયક વાટીકા સોસાયટી, માધાપર ચોકડી, રાજકોટ ખાતે કરવામાં આવ્યું છે.

જેમાં સંસ્થાપક, યોગ અને આધ્યાત્મિક ગુરૂ શ્રી સમણ શ્રુતપ્રજ્ઞજી અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડના યોગ કોચ તથા પ્રાકૃતિક ચિકિત્સક ચિંતન ત્રિવેદી અને જાગૃતિબેન જોશી દ્વારા સંયુકત રીતે તાલીમ આપવામાં આવશે. જેમાં  આજથી તા. ૧૮ સુધીમાં સર્વે લોકો રજીસ્ટ્રેશન કરી આ યોગ શિબિરનો લાભ લઇ શકે છે.

 સંપર્કઃ ચિંતન ત્રિવેદી-૯૮૯૮૨ ૫૫૦૧૬, જાગૃતિ જોશી (ગુજરાત રાજ્ય યોગ ટ્રેનર) ૬૩૫૩ ૭૪૬ ૫૦૩. નો સંપર્ક થઇ શકે છે.  

(3:23 pm IST)