Gujarati News

Gujarati News

News of Monday, 16th November 2020

કુવાડવા પાસે બેસતા વર્ષની સવારે જીવલેણ અકસ્માતઃ છકડો પલ્ટી જતાં રાજકોટના મુળ યુપીના અન્નપુર્ણા ગોસ્વામીનું મોતઃ ૪ને ઇજા

રાજકોટ : બેસતા વર્ષની સવારે કુવાડવા પાસે છકડો રિક્ષા પલ્ટી ખાઇ જતાં મવડી ચોકડી પાસે ગુલાબનગરમાં રહેતાં મુળ યુપીના અન્નપુર્ણા ધર્મેન્દ્રગીરી ગોસ્વામી (ઉ.૨૨)નું ગંભીર ઇજા થતાં મોત નિપજ્યું હતું. તેણીના પતિ, છકડો ચાલક સહિત પાંચને ઇજા થઇ હતી. ઘાયલોને સિવિલમાં સારવાર અપાઇ હતી. મૃતક મુળ યુપીના વતની હતાં અને બે વર્ષ પહેલા જ લગ્ન થયા હતાં. તેના પતિ કારખાનામાં કામ કરે છે. કુવાડવા પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી.

 

(12:37 pm IST)