Gujarati News

Gujarati News

News of Tuesday, 16th November 2021

રાત્રી કર્ફયુમાં આંટાફેરા કરનારા ૧પ સામે જાહેરનામા ભંગની કાર્યવાહી

રાજકોટ તા. ૧૬ :.. કોરોના મહામારી અંતર્ગત શહેરમાં રાત્રીના એક વાગ્યાથી કર્ફયુ અમલમાં છે. તેમ છતાં કેટલાક લોકો નિયમોનું પાલન કરી રહ્યા નથી ત્યારે રાત્રે એક વાગ્યા પછી બીનજરૂરી ઘરની બહાર નીકળી આંટાફેરા કરનારા ૧પ શખ્સો સામે બી ડીવીઝન પોલીસે જાહેરનામા ભંગની કાર્યવાહી કરી છે.

શહેરના સામાંકાંઠે પેડક રોડ પર સેટેલાઇટ ચોક પાસે બી ડીવીઝન પોલીસે ચેકીંગ દરમ્યાન રાત્રે કર્ફયુ સમયે બીનજરૂરી આંટાફેરા કરતા રાજેશ પરસોતમભાઇ સાંકડેચા, હિરેન વાલજીભાઇ પરમાર, દિનેશ રમેશભાઇ ડેર, પ્રકાશ વાલજીભાઇ જેઠવા, રવી જગદીશભાઇ પ્રજાપતિ, રોહીત બાબુભાઇ બોડાણી, શની છગનભાઇ પ્રજાપતિ, મહંમદ હુશેન તાહેરઅલી સાદીકોટ, સંજય ભલુભાઇ મારૂ, કિશન ગોવિંદભાઇ રાજગોર, વિમલ રાજેશભાઇ દેસારા, સુનીલ જગદીશભાઇ રામાવત, રીતેશ પરસોતમભાઇ રાઠોડ, હરસુખ રામજીભાઇ રાજગોર અને રામદેવસિંહ મંગલસિંહ જાડેજાને તથા ભકિતનગર પોલીસે નીલકંઠ ટોકીઝ પાસે અશોક બચુભાઇ શીંગાળા  તથા મનોજ અશોકભાઇ પીઠવાને પકડી લઇ જાહેરનામા ભંગની કાર્યવાહી કરી હતી.

(3:59 pm IST)