Gujarati News

Gujarati News

News of Monday, 17th January 2022

લક્ષ્મીનગર અન્ડરબ્રીજ લોકાર્પણ માટે તૈયાર

આવતા સપ્તાહે કોઇપણ દિવસનું મુહૂર્ત નીકળે તેવી શકયતા : મેયર પ્રદિપ ડવ દ્વારા બ્રીજ ખુલ્લો મુકવા કવાયત શરૂ : બ્રીજ ખુલ્લી ગયા પછી ટ્રાફિકનું ભારણ હળવું થશે

રાજકોટ, તા.૧૭: શહેરના નાનામૌવા અને મવડીનાં પ્રવેશ દ્વાર સમા લક્ષ્મીનગર નાલાની બાજુમાં  બની રહેલ અંડર બ્રિજનું કામ પુર્ણતાને આરે  પહોંચતા આ બ્રિજ લોકો માટે આ માસના અંત સુધીમાં ખુલ્લો મુકવા મેયર પ્રદિપ ડવનાં માર્ગદર્શન હેઠળ તૈયારીઓ થઇ રહી છે.
આ અંગેની વિગતો મુજબ  નાનામૌવા તથા મવડી વિસ્તારમાં આવવા-જવા માટે અત્યંત મહત્વનાં એવા લક્ષ્મીનગર નાલા તરીકે ઓળખાતા અન્ડર પાસમાં વોર્ડ નં. ૮માં નાના-મવા મેઇન રોડના છેડે લક્ષ્મીનગર રેલ્વે સ્ટેશન પાસે ટ્રાફિકની સમસ્યાની નિરાકરણ હેતુ હૈયાત નાલાની બાજુમાં અન્ડર બ્રીજ બનાવવાના કામના ભાગ રૂપે રેલ્વે વિભાગ સાથે 'ડીપોઝીટ વર્ક' તરીકે કામ કરાવવા કામ કરનાર એજન્સીને રેલ્વે વિભાગ દ્વારા ૨૪ જાન્યુઆરી ૨૦૨૦થી ઓર્ડર આપી કામગીરી શરૂ કરવામાં આવેલ. તે અન્વયે હયાત નાલાની જગ્યાએ બે નવા બોક્ષ ટાઇપ ફોર લેન અન્ડર પાસ બનાવવાની કામગીરી ચાલુ છે. જેની એક બોક્ષની અંદાજીત સાઇઝ ૫૦ મીટર લંબાઇ* ૭.૫૦ મીટર પહોળાઇ તથા ૪.૫૦ મીટર ઉંચાઇ રહેશે. તથા ટાગોર રોડ સાઇડ ૧૧૬ મીટર તથા નાના મવા સાઇડ ૧૩૫ મીટર એપ્રોચ રોડ ઉપરાંત વરસાદી પાણીનાં નિકાલ માટેની તેમજ લાઇટીંગની વ્યવસ્થા કરવામાં આવી છે.
આ અન્ડર બ્રીજનું કામ પુર્ણતાને પહોંચતા આ માસનાં અંત સુધીમાં સપ્તાહ સુધીમાં ખુલ્લો મુકવા મનપા તંત્ર દ્વારા ખેલ્લો મુકવા ધામધમાટ ચાલી રહ્યો છે.
આ નવું અન્ડરપાસ થવાથી રાજકોટ પશ્ચિમ વિસ્તાર તરફનાં પ્રજાજનોએ શહેરમાં અવર-જવર કરવા માટે વધુ સુગમતા થતાં ટ્રાફિકનાં પ્રશ્નનું નિરાકરણ આવશે. તેમજ આ સમગ્ર અન્ડર પાસ બનાવવાની કામગીરી રેલ્વે વિભાગ મારફત કરવામાં આવી રહી છે.


 

(3:22 pm IST)