Gujarati News

Gujarati News

News of Monday, 17th January 2022

બસપા રાજકોટ દ્વારા માયાવતીજીના જન્મદિને યોજાયો જનકલ્યાણકારી સમારંભ

રાજકોટ તા. ૧૭ : બહુજન સમાજ પાર્ટી-જિલ્લા રાજકોટ દ્વારા બહુજન આંદોલનની મહાનાયિકા, આયર્ન લેડી, સર્વોચ્ચનેત્રી, સોશ્યલ એન્જીનીયર, જિંદાદેવી, બહુજન સમાજ પાર્ટી રાષ્ટ્રીય અધ્યક્ષા, પૂર્વ મુખ્યમંત્રી મંત્રી ઉત્તરપ્રદેશ પૂર્વ સાંસદ રાજયસભા, બહુજનોની આવાજ બહેન કુ.માયાવતીજીના ૬૬માં ભૂમિ અવતરણ દિને (જન્મદિન) જનકલ્યાણકારી સમારંભનું આયોજન બ.સ.પા.રાજકોટ જિલ્લા યુનિટના ઉપાધ્યક્ષ આયુ. ભગવાનજીભાઇ મકવાણાના યજમાન પદે, શાસ્ત્રીનગર શેરી નં. ર, લક્ષ્મી સોસાયટી પાસે નાનામૌવા મેઇન રોડ, રાજકોટ ખાતે કરવામાં આવેલ હતું.

બહુજન મહામાનવો તથા ડો. બાબાસાહેબ આંબેડકર, માન્યવર કાંશીરામ સાહેબ અને સાંપ્રત બહુજન નેતૃત્વ બહેન કુ.માયવતીજીનના 'જીવન સંઘષ'ર્ની બેમીશાલ કહાની ઉપસ્થિત મહાનુભાવો દ્વારા વર્ણવવામાં આવી હતી.

ઉજવણીમાં સર્વશ્રી દિનેશભાઇ પડાયા (જીલ્લા પ્રભારી બ.સ.પા.રાજકોટ) ભગવાનજીભાઇ મકવાણા (જિલ્લા ઉપાધ્યક્ષ બ.સ.પા.ના રાજકોટ), દિપકભાઇ પરમાર (જિલ્લા સચિવ), વાસુદેવભાઇ સોલંકી (૬૮.વિ.સ.પ્રભારી), ડાહયાભાઇ ચાવડા, (સી.ની.લીડર બ.સ.પા. રાજકોટ), આનંદભાઇ ચાવડા (બામસેફ-રાજકોટ જિલ્લા સંયોજક), એચ.ડી.ચૌહાણ (બેંક મેનેજરશ્રી  સેન્ટ્રલ બેંક-સેવા નિવૃત), અમરશીભાઇ ચાંડપા (બેંક મેનેજરશ્રી, બેંક ઓફ બરોડા-સેવા નિવૃત્ત) પ્રિયંકર શાકય (બેંક મેનેજર શ્રી, દેના બેંક સેવા નિવૃત્ત), મનસુખભાઇ ચાવડા (પીબીએસપી), ડી.કે. પરમાર (સેવા નિવૃત્ત અને સ્મશાન જમીન એકરીવિસ્ટ) પાયલબેન રાઠવા (આદીવાસી લીડર), હરીભાઇ રાણવા,(સમાજ અગ્રણી), કિશોરભાઇ પરમાર બ.સ.પા.અગ્રણી-લાખાપર શ્રામણેર સિધ્ધાર્થ પરમાર (બ.સ.પા.યુવા લીડર), કમલેશભાઇ પારધી (બ.સ.પા.યુવાલીડર) અને.આર.પરમાર (દેવળા-બ.સ.પા.યુવા લીડર), અરવિંદભાઇ કાંટીયા (સમાજ અગ્રણી) વિ. ઉપસ્થિત રહ્યા હતા.

(3:38 pm IST)