Gujarati News

Gujarati News

News of Monday, 17th January 2022

આયુર્વેદ એસોસીએશન (સૌરાષ્ટ્ર- કચ્છ)ના પ્રમુખપદે અકબરભાઈ પટેલઃ ડો.જયેશભાઈ પરમારનું સન્માન

આયુર્વેદ સાયન્સના વિકાસ માટે કરેલા કાર્યોની વિકાસગાથા વર્ણવવામાં આવીઃ નવા હોદ્દેદારોની વરણી

રાજકોટઃ આયુર્વેદ એસોસીએશન (સૌરાષ્ટ્ર- કચ્છ)ના પ્રમુખ અકબર એમ. પટેલ (મો.૯૮૭૯૨ ૭૧૦૦૯)ની યાદી મુજબ આયુર્વેદ એસોશીએશન (સૌરાષ્ટ્ર- કચ્છ) દ્વારા રાજકોટની ભાગોળે રોણકી ગામ ખાતે આવેલ રીસોર્ટમાં એસોશીએશનની એન્યુઅલ જનરલ મીટીંગ તથા વૈદ્યરાજ ડો.જયેશભાઈ પરમાર (મો.૯૯૭૮૯ ૮૫૯૮૫)ની ગુજરાત આયુષના ડાયરેકટર પદેની નિમણૂંક થતાં તેઓના ભવ્ય સન્માનનો કાર્યક્રમ તથા એસોસીએશનની ચૂંટણી અને નવા હોદ્દેદારોની વરણી તેમજ એસોશીએશન દ્વારા આયુર્વેદ સાયન્સના વિકાસ માટે કરેલા કાર્યોની વિકાસગાથા વર્ણવવામાં આવેલ. આ તકે ચુંટણી અધ્યક્ષ ગૌતમભાઈ શાહનું સન્માન સાલ ઓઢાડીને કરાયું હતું.

આ પ્રસંગે યોજાયેલ ચુંટણીમાં વર્તમાન પેનલને બહુમતી સભ્યોએ મત આપતા આખી પેનલ સર્વાનુમતે ચુંટાઈ હતી. આયુર્વેદ એસોશીએશન (સૌરાષ્ટ્ર- કચ્છ)ના પ્રમુખ પદે અકબરભાઈ પટેલ, ભાવિક આર. રાવલ- ઉપપ્રમુખ, અલ્કેશ એલ.કામદાર- સેક્રેટરી, ગૌરવ આર. દવેની -ખજાનચી પદે જયારે કમિટિ મેમ્બર તરીકે દેવાંગ એલ.રાવલ, વિશાલ એન. પાબારી, મનિષકુમાર રૂપારેલીયા, સચિન જે.વ્યાસ, અશ્વિન એચ. કારીયા, પરેશ આર. તન્ના અને હેમલ ડી.સંપટની વરણી કરાઈ છે. આ તકે અકબરભાઈ પટેલ દ્વારા વૈદ્યરાજ ડો.જયેશભાઈ પરમારનું સન્માન કરાયું હતું.

આ પ્રસંગે ડો.જયેશભાઈ પરમારે પ્રાસંગિક પ્રવચનમાં માનવતા અને કવોલીટીને મહત્વ આપવા અનુરોધ કર્યો હતો અને સન્માન બદલ અકબરભાઈ પટેલ અને આયુર્વેદ એસોશીએશનના હોદ્ેદારોનો આભાર વ્યકત કર્યો હતો. આ તકે અકબરભાઈ પટેલે ફૂડ લાયસન્સ અંગે માર્ગદર્શન આપેલ અને ફરીથી વર્તમાન પેનલને ચુંટી કાઢવા બદલ તમામ સભ્યોનો આભાર વ્યકત કર્યો હતો. અકબરભાઈ પટેલે આયુર્વેદ સાયન્સની ઉપયોગીતા, અનિવાર્યતા અને આવશ્યકતા અંગે વાત કરી હતી અને તેમણે આયુષ ડીપાર્ટમેન્ટ સાથે આગળ જતા એસોશીએશન સહયોગ કરશે તેવું જણાવ્યું હતું.

એસોશીએશનની એન્યુઅલ જનરલ મીટીંગમાં ડો.જયેશભાઈ પરમાર મુખ્ય મહેમાનપદે ઉપસ્થિત રહી વિશેષ માર્ગદર્શન આપ્યું હતું.

કેન્દ્ર અને રાજય સરકારના સહકાર ભર્યા વલણને કારણે અતિપ્રાચીન સફળ નિવડેલી આયુર્વેદ ચિકિત્સા પધ્ધતિને નવો વેગ મળેલ છે. ત્યારે આયુર્વેદના સાચા જ્ઞાનનો લાભ સૌને મળતો થાય તે ખૂબ જરૂરી છે. આ માટે એસોશીએશન- આયુષ મંત્રાલયને ખૂબ ખૂબ અભિનંદન. આયુર્વેદનો સતત વિકાસ- વિસ્તાર થતો જાય તે માટે એસોશીએશન પણ કાર્યરત રહેશે તેમ અકબરભાઈ પટેલે જણાવ્યું છે.

કાર્યક્રમને સફળ બનાવવા માટે અકબર પટેલ, ભાવિકભાઈ રાવલ, અલ્કેશ કામદાર, ગૌરવ દવેના માર્ગદર્શન હેઠળ કમિટી મેમ્બરો અશ્વિન એચ. કારીયા, મનીષ સી.રૂપારેલીયા, સચિન જે.વ્યાસ, હેમલ ડી.સંપટ, દેવાંગ એલ. રાવલ, વિશાલ એન. પાબારી, પરેશ આર. તન્ના તેમજ ઝંડુ ફાર્માસ્યુટીકલ વિગેરે જહેમત ઉઠાવી હતી. તેમ એસોશીએશનની યાદીમાં જણાવાયું છે. આ કાર્યક્રમ માત્ર એસોશીએશનના સભ્યો, નોંધાયેલી દવા કંપનીઓ તથા આમંત્રિતો પુરતો મર્યાદિત રાખવામાં આવેલ હોવાનું યાદીમાં જણાવાયું છે.

(3:49 pm IST)