Gujarati News

Gujarati News

News of Wednesday, 17th February 2021

દંડ, ટેકસના બેવડા માર અને લોકડાઉનમાં ધંધા- રોજગાર ગુમાવી ચુકેલા વોર્ડ નં.૩ના મતદારોનો કોંગ્રેસને ચૂંટી કાઢવા સંકલ્પ

વોર્ડનં.૩ના જાગૃત કોંગ્રેસી ઉમેદવાર ગાયત્રીબા વાઘેલા, દીલીપભાઈ આસવાણી, કાજલબેન પુરબીયા અને દાનાભાઈ હુંબલનો બેડીનાકા, જંકશન પ્લોટ, સિંધી કોલોની, હુડકો, રેલનગર, શેઠનગર અને નંદનવન સોસા.માં ડોર ટુ ડોર પ્રચાર

રાજકોટઃ અહિંના વોર્ડનં.૩ના કોંગ્રેસના ઉમેદવારો શ્રીમતિ ગાયત્રીબા વાઘેલા, દિલીપભાઈ આસવાણી, દાનાભાઈ હુંબલ, કાજલબેન પુરબીયા દ્વારા જામનગર રોડ વિસ્તાર વિનાયક વાટીકા માધાપર ચોકડી તેમજ મોચી બઝાર કોર્ટની સામે તિલક પ્લોટ, જૂની લોધાવાડ, મુસ્લીમ લાઈન, શ્રધ્ધાનંદ, ખાડો, રેલનગરના વિસ્તારો અવધ સોસાયટી, મુખ્યમંત્રી આવાસ યોજના વિર સાવકર ટાઉન શીપ વિગેરે વિસ્તારોમાં લોકસંપર્ક કરાયો હતો. ત્યારે ખેમચંદભાઈ મદીયાણી, દિપકભાઈ ભાટીયા, અશોકભાઈ વાઘેલા, મનુભાઈ કોટક, પીન્ટુભાઈ, વિઠલભાઈ પુરબીયા, હરીભાઈ વાસદેવાની, મયુરભાઈ, મનુભાઈ સોનાર, જયેશભાઈ વિરડા, હરિભાઈ બાલાસરા, મેરામભાઈ ચાવડા, પી.આર.આહીર, હિતેષભાઈ ગોસ્વામી, રાજુભાઈ ગોટી, કમલેશભાઈ ચૌહાણ, તુષારભાઈ દવે, કાળીબેન રઘુભાઈ પરમાર તથા આગેવાનો સાથે રહ્યા હતા.

ગોકુલ-મથુરા

વોર્ડ નં.૩ના કોંગ્રેસના ઉમેદવારો શ્રીમતિ ગાયત્રીબા વાઘેલા, દિલીપભાઈ આસવાણી, દાનાભાઈ હુંબલ, કાજલબેન પુરબીયા દ્વારા રાધાપાર્ક, અયોધ્યા રેસીડન્સ, ગોકુલ-મથુરા, ઉમિયાધામ માધાપર વિગેરે વિસ્તારમાં લોકસંપર્કમાં વિસ્તારના લતાવાસીઓ તથા કાર્યકરો પરબતભાઈ ડાંગર, કિરણભાઈ, સોનારા હરેશભાઈ છોટાણા, ભરતભાઈ આહીર, પ્રદ્યુમનભાઈ આહીર, મેઘરાજ સિંહ, ચુડાસમા સાહેબ, રવિભાઈ ચાવડા, પાંચાભાઈ ભુવા, લક્ષ્મણભાઈ વરૂ, મથુરસિંહ, મસ્તાકભાઈ અન્સારી, સાપરીયાભાઈ, નીતિનભાઈ સોલંકી, સતીષભાઈ ઓઝા, વ્રજેશભાઈ રાજપુત, મનુભાઈ કોટક, ખેમચંદભાઈ મદીયાણી, તુષારભાઈ દવે, અશોકસિંહ વાઘેલા, પીન્ટુભાઈ વિઠલભાઈ પુરબીયા, દિપકભાઈ ભાટીયા, હરીભાઈ વાસદેવાણી તથા સમાજના આગેવાનો સાથે રહ્યા હતા.

જામનગર રોડ

જયારે જામનગર રોડ વિસ્તાર વિનાયક વાટીકા માધાપર ચોકડી તેમજ મોચી બઝાર કોર્ટની સામે તિલક પ્લોટ, જૂની લોધાવાડ, મુસ્લીમ લાઈન, શ્રધ્ધાનંદ, ખાડો, રેલનગરના વિસ્તારો, અવધ સોસાયટી, મુખ્યમંત્રી આવાસ યોજના વિર સાવકર ટાઉન શીપ વિગેરેનો સમાવેશ થાય છે. ઉપરોકત વિસ્તાર કાર્યકરો તથા વિસ્તાર લોકોનો સાથે રહ્યા હતા. જેમાં ખેમચંદભાઈ મદીયાણી, દિપકભાઈ ભાટીયા, અશોકસિંહ વાઘેલા, મનુભાઈ કોટક, પીન્ટુભાઈ, વિઠલભાઈ પુરબીયા, હરીભાઈ વાસદેવાની, મયુરભાઈ, મનુભાઈ સોનાર, જયેશભાઈ વિરડા, હરિભાઈ બાલાસરા, મેરામભાઈ ચાવડા, પી.આર.આહીર, હિતેષભાઈ ગોસ્વામી, રાજુભાઈ ગોટી, કમલેશભાઈ ચૌહાણ, તુષારભાઈ દવે, કાળીબેન રઘુભાઈ પરમાર તથા આગેવાનો સાથે રહ્યા હતા.

શ્રીમતી ગાયત્રીબા અશોકસિંહ વાઘેલા,  દિલીપભાઈ ચંદુભાઈ આસવાણી, દાનાભાઈ ગગુભાઈ હુંબલ, કાજલબેન મયુરભાઈ પુરબીયા દ્વારા પોપટપરા શરેીનં.૧૫, બેડીનાકા, રૈયાનાકા, ખાટકીનાકા, નકલંક ચોક, હટકેશ્વર ચોક, દરબાર ગઢ, મોચી બજાર વિ. વિસ્તારોમાં કોંગ્રેસના આગેવાનો તથા લતાવાસીઓ સાથે  જશાભાઈ કુંગશીયા, ધવલભાઈ કુંગશીયા, કરણભાઈ કુંગશીયા, ડો.અજીતભાઈ, અશોકસિંહ વાઘેલા, દિલેરબા સરવૈયા, અક્ષય છૈયા, આર.ડી.સોલંકી, નાથાભાઈ, પ્રજાપતિ સમાજ આગેવાનો તથા કાર્યકરો મનુભાઈ કોટક, ગીરીબાપુ, તુષારભાઈ દવે, દિપકભાઈ, ભાટીયા, વિજયભાઈ સીતાપરા, સુનીલભાઈ ચૌહાણ વિગેરે સાથે રહ્યા હતા.

(4:24 pm IST)