Gujarati News

Gujarati News

News of Tuesday, 17th May 2022

સોમનાથ સોસાયટીમાં સોનલબેન ગાણોલીયાનો ગળાફાંસો ખાઇ આપઘાત

આર્થીક ભીંસ અને ઘરકંકાશથી કંટાળી પરીણીતાએ પગલુ ભર્યાનું ખુલ્‍યું

રાજકોટ, તા., ૧૭: ૧૫૦ ફુટ રીંગ રોડ, સોમનાથ સોસાયટીમાં રહેતી પરીણીતાએ આર્થીક ભીંસ અને ઘરકંકાશથી કંટાળી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો.

મળતી વિગત મુજબ સોમનાથ સોસાયટી-ર, શેરી નં. ર માં રહેતા સોનલબેન ઉર્ફે સોનુ અમીતભાઇ ગાણોલીયા (ઉ.વ.૩૮) એ સવારે પોતાના ઘરે લાકડાની આડીમાં  ચુંદડી બાંધી ગળાફાંસો ખાઇ લીધો હતો. પતિ ઉઠીયા ત્‍યારે પત્‍નીને લટકતી જોઇ દેકારો બોલાવતા આસપાસના લોકો ભેગા થઇ ગયા હતા. ત્‍યાર બાદ કોઇએ ૧૦૮માં જાણ કરતા ૧૦૮ની ટીમે સ્‍થળ પર પહોંચી તપાસ કરતા સોનલબેનનું મૃત્‍યુ નિપજયું હોવાનું જણાતા પોલીસને જાણ કરવામાં આવી હતી. જાણ થતા જ યુનિવર્સિટી પોલીસે સ્‍ટાફે સ્‍થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી. મૃતક સોલબેનને સંતાનમા બે દિકરા, એક દિકરી છે.ઘરની પરિસ્‍થિતિ સારી ન હોય તેમજ પતિ કામધંધો કરતો ન હોય અને પરિવારનું ગુજરાન ચલાવવા માટે બને વચ્‍ચે અવાર નવાર ઝઘડા થતા હોય તેથી કંટાળી  તેણે આ પગલુ ભર્યુ હોવાનું જાણવા મળે છે.

(3:56 pm IST)