Gujarati News

Gujarati News

News of Monday, 17th August 2020

પટેલનગરના કારખાનામાં વિજકરંટ લાગવાથી આઝાદખાન પઠાણનું મોત

મોબાઇલનું ચાર્જર ભરાવવા જતાં કરંટ લાગ્યોઃ બે દિકરીએ પિતાનું છત્ર ગુમાવ્યું

રાજકોટ તા. ૧૭: કોઠારીયા રોડ સોરઠીયા વાડી પાસે આવેલા કારખાનામાં કામ કરતી વખતે વિજકરંટ લાગતાં કર્મચારી યુવાનનું મોત નિપજ્યું છે. ભીના કપડા સાથે મોબાઇલ ફોનનું ચાર્જર ભરાવવા જતાં કરંટ લાગ્યાનું બહાર આવ્યું હતું.

જાણવા મળ્યા મુજબ પટેલનગર-૦૫માં આવેલા મેટલ બેન નામના કારખાનામાં કામ કરી રહેલો આઝાદખાન લાલમોહમ્મદખાન પઠાણ (ઉ.વ.૩૪) વિજકરંટ લાગતાં બેભાન થઇ જતાં શુભમ્ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ સારવાર દરમિયાન દમ તોડી દીધો હતો. બનાવથી જાણ ડો. ગોૈરાંગ બુચ મારફત થતાં ભકિતનગરના એએસઆઇ નરેન્દ્રભાઇ જી. ભદ્રેચા અને રાઇટર મયુરભાઇ ઠાકરએ ત્યાં પહોંચી જરૂરી કાર્યવાહી કરી હતી.

પોલીસ સુત્રોના કહેવા મુજબ મૃતક મુળ યુપીનો વતની હતો. તેને સંતાનમાં બે પુત્રી છે. તેના ભાઇ પણ રાજકોટમાં જ કામ કરે છે. બનાવથી પરિવારમાં માતમ છવાઇ ગયો હતો.

(12:27 pm IST)