Gujarati News

Gujarati News

News of Wednesday, 17th August 2022

ધોરણ ૧થી અનુસ્નાતક કક્ષા સુધીના અભ્યાસ માટે સ્કોલરશીપઃ બાળકો માટે રાષ્ટ્રીય એવોર્ડ

ધોરણ ૧ થી ૧ર, ડીપ્લોમાં સ્નાતક અથવા તો અનુસ્નાતક કક્ષા (પ્રોફેશનલ - નોન પ્રોફેશનલ સહિત) માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે શિષ્યવૃત્તિ ઉપલબ્ધ : વિવિધ ક્ષેત્રે જોડાયેલ ૧૮ વર્ષથી ઓછી ઉંમર ધરાવતા બાળકો માટે 'પ્રધાન મંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર' મેળવવાની તક...

રાજકોટ તા. ૧૭ : આજના યુગમાં દિવસે - દિવસે માહિતી અને ટેકનોલોજી સાથે શિક્ષણનું મહત્વ વધતું જાય છે ત્યારે જીવનોપયોગી શિક્ષણ મેળવવા માટે હાલમાં વિવિધ શિષ્યવૃતિઓ મળી રહી છે. ઉપરાંત અલગ-અલગ ક્ષેત્રો સાથે જોડાયેલ બાળકો માટે પણ પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર આપવામાં આવી રહ્યો છે. ઉજજવળ કારકીર્દી આપતી આ તમામ બાબતો ઉપર એક નજર કરીએ તો...
* HDFC  બેન્ક પરીવર્તનન્સ ઇસીએસ સ્કોલરશીપ ર૦રર-ર૩ અંતર્ગત ધોરણ ૧ થી અનુસ્નાતક કક્ષા સુધીમાં અભ્યાસ કરતા સમાજના વંચિત વર્ગોના તેજસ્વી અને જરૂરીયાતમંદ વિદ્યાર્થીઓને ૭પ હજાર રૂપિયા સુધીની સ્કોલરશીપ આપવામાં આવે છે. ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ ૩૧-૮-ર૦રર છે.
- અરજી કરવા માટેની પાત્રતા
ધોરણ ૧ થી લઇને ધોરણ ૧ર, ડીપ્લોમાં, સ્નાતક કે અનુસ્નાતક (પ્રોફેશનલ અને નોન પ્રોફેશનલ અભ્યાસક્રમો સહિત) ના કોઇપણ વર્ષમાં અભ્યાસ કરતા ભારતીય વિદ્યાર્થીઓ અરજીપાત્ર છે. અરજી કરનાર વિદ્યાર્થીઓને છેલ્લી શૈક્ષણીક યોગ્યતા પરીક્ષામાં ઓછામાં ઓછા પપ ટકા હોવા જરૂરી છે. અને તેઓની પારિવારીક વાર્ષિક આવક અઢી લાખ રૂપિયા અથવા તેથી ઓછી હોવી જરૂરી છે. જે વિદ્યાર્થીઓ છેલ્લા ત્રણ વર્ષોથી વ્યકિતગત અથવા તો પારિવારિક આર્થિક સંકટનો સામનો કરી રહ્યા હોય અને તેઓ શિક્ષણ ન લઇ શકે તેવી શંકા હોય, તેવા વિદ્યાર્થીઓને પ્રાથમિકતા આપવામાં આવશે.
-  અરજી કરવા માટેની લીંક www.b4s.in./akila/hec12
*  ધ ટાટા કેપીટલ પંખ સ્કોલરશીપ પ્રોગ્રામ અંતર્ગત ધોરણ ૬ થી ૧ર અને સ્નાતક કક્ષાના અભ્યાસક્રમોમાં (સામાન્ય તથા પ્રોફેશનલ) અભ્યાસ કરતા આર્થિક સહયોગ ઇચ્છતા તેજસ્વી વિદ્યાર્થીઓને શિક્ષણ ફીના ૮૦ ટકા સુધીની સ્કોલરશીપ આપવામાં આવી રહી છે. ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ ૩૧-૮-ર૦રર છે.
 - અરજી કરવા માટેની પાત્રતા
જે ભારતીય વિદ્યાર્થીઓ ધોરણ ૬ થી લઇને સ્નાતક કક્ષા સુધીના (સામાન્ય અને વ્યવસાયિક) અભ્યાસ ક્રમોમાં શિક્ષણ લેતા હોય, તેઓએ પોતાની યોગ્યતા પરીક્ષામાં ઓછામાં ઓછા ૬૦ ટકા મેળવ્યા હોય અને જેઓના પરિવારની કુલ વાર્ષિક આવક ૪ લાખ રૂપિયાથી ઓછી હોય તેઓ અરજીપાત્ર છે.
 - અરજી કરવા માટેની લીંક www.b4s.in./akila/tcps14
*   પ્રધાન મંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર ર૦ર૩ અંતર્ગત મહિલા અને બાળ વિકાસ મંત્રાલય, ભારત સરકાર દ્વારા ૧૮ વર્ષથી ઓછી ઉંમર ધરાવતા ભારતીય વિદ્યાર્થીઓને અલગ-અલગ (પરીવર્તનીય) ઇનામો આપવામાં આવે છે. આ પુરસ્કાર અંતર્ગત નવા આચાર-વિચારો, શૈક્ષણીક, રમત-ગમત, કળા, સંસ્કૃતિ, સામાજીક સેવા, સંગીત અથવા તો કોઇ અન્ય ક્ષેત્ર સાથે જોડાયેલ બાળકોને સન્માનિત કરવામાં આવશે. ઓનલાઇન અરજી કરવા માટેની છેલ્લી તારીખ ૩૧-૮-ર૦રર છે.
 - અરજી કરવા માટેની પાત્રતા
રાષ્ટ્રીય બાળ પુરસ્કાર ર૦ર૩ ના સંબંધિત વર્ષમાં ૩૧ ઓગસ્ટ સુધીમાં ૧૮ વર્ષથી ઓછી ઉંમર ધરાવતા ભારતીય બાળકો અરજી કરી શકે છે.
 - અરજી કરવા માટેની લીંક www.b4s.in./akila/prp7
*    એલ. આઇ. સી. એચ. એફ. એલ. વિદ્યાધન સ્કોલરશીપ ર૦રર અંતર્ગત ધોરણ ૧૧ થી લઇને અનુસ્નાતક કક્ષાના વિદ્યાર્થીઓને શિક્ષણ જાળવી રાખવા માટે ર૦ હજાર રૂપિયા સુધીનો આર્થિક સહયોગ આપવામાં આવે છે. આ સ્કોલરશીપ આર્થિક સંકટોનો સામનો કરતા પરિવારના બાળકો માટે આપવામાં આવે છે. ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ ૩૦-૯-રર છે.
 - અરજી કરવા માટેની પાત્રતા
જે ભારતીય વિદ્યાર્થીઓ હાલમાં ધોરણ ૧૧ માં, સ્નાતક અને અનુસ્નાતક કક્ષામાં પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા હોય અને જેઓએ છેલ્લી શૈક્ષણીક યોગ્યતા પરીક્ષામાં ૬૦ ટકાથી વધુ માર્કસ મેળવ્યા હોય તેઓ અરજીપાત્ર છે. વિદ્યાર્થીઓની કુલ પારિવારીક વાર્ષિક આવક ત્રણ લાખ સાંઇઠ હજાર રૂપિયાથી ઓછી હોવી જરૂરી છે.
 - અરજી કરવા માટેની લીંક www.b4s.in./akila/lhvt3
ઉચ્ચ અભ્યાસ સાથે સોનેરી  ભવિષ્ય આપતી અને સમાજમાં માન-પ્રતિષ્ઠા મળે તે રીતે શિક્ષણલક્ષી ઉપયોગી સ્કોલરશીપ ઉપલબ્ધ છે ત્યારે યોગ્ય લાયકાત, સ્વપ્રયત્ન, આત્મ વિશ્વાસ, હકારાત્મક અભિગમ, સમાજ માટે કંઇક કરી છૂટવાની તમન્ના તથા ઇશ્વરમાં શ્રધ્ધા રાખીને જલ્દીથી અરજી કરી દો. સાચી નીતિથી મહેનત કરનારને ઇશ્વર પણ સાથ આપે જ છે. સૌને ઓલ ધ બેસ્ટે.
સ્માઇલીંગ સ્ટાર એડવાઇઝરી પ્રા.લી.
www.buddy 4 study.com
info@buddy4study.com

 

(11:29 am IST)