Gujarati News

Gujarati News

News of Wednesday, 17th August 2022

દાળેેશ્વર મહાદેવને શીશ ઝુકાવતા આગેવાનો

રીબડા - રાજકોટઃ શીવજીને અતિ પ્રિય શ્રાવણ માસ ચાલી રહ્યો હોય શિવમંદિરોમાં પુજન-અર્ચન- આરધના કરી શિવભકતો ભકિતમાં લીન બન્‍યા છે. ત્‍યારે રીબડા નજીક દાળીયા ગામ મુકામે આવેલ શ્રી દાળેશ્વર મહાદેવ મંદિર ખાતે શ્રાવણ માસ દરમ્‍યાન બહોળી સંખ્‍યામાં ભકતગણ લાભ લઇ રહ્યા છે ત્‍યારે શ્રાવણ માસના ત્રીજા સોમવારે શહેર ભાજપ કાર્યાલય મંત્રી હરેશભાઇ જોશી, રાજકોટ મહાનગરપાલિકા ભાજપ કાર્યાલય મંત્રી જયંતભાઇ ઠાકર, શહેર ભાજપ ઉપપ્રમુખ મહેશભાઇ રાઠોડ, ભાજપ વોર્ડ નં.૪ના પ્રમુખ સી.ટી.પટેલ સહીતના અગ્રણીઓએ દાળેશ્વર મહાદેવને શીશ ઝુકાવી પુજન-અર્ચન-દર્શનનો લ્‍હાવો લઇ ધન્‍યતા અનુભવી હતી.

(11:41 am IST)