Gujarati News

Gujarati News

News of Wednesday, 17th August 2022

જયેશ વ્યાસ રજૂ કરશે

દ્વારિકા જન્મોત્સવનો અહેવાલ

રાજકોટઃ પૂર્ણ પુરૃષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણની જન્મ આઠમના દિવસે આપણા હૈયામાં ભકિત અને ઉમંગનું પુર ઉમટે છે. આગામી તા.૧૯ ઓગષ્ટ જન્માષ્ટમીના પાવન અવસરે સવારે મંગળા દર્શનથી રાત્રે ભગવાન શ્રી કૃષ્ણજન્મના મહોત્સવ સુધી દ્વારકાથી ડીડી ગિરનાર અને રાત્રે ડીડી નેશનલના સીધા પ્રસારણમાં જયેશ વ્યાસ (મો.૯૪૨૭૨ ૨૧૧૦૦) આંખે દેખ્યો અહેવાલ રજૂ કરશે. ઉલ્લેખનીય છે કે તેઓ દ્વારકા જન્મોત્સવ ઉપરાંત અમદાવાદની જગન્નાથજીની રથયાત્રાની કોમેન્ટ્રી પણ વર્ષોથી રસભર શૈલીમાં આપતા રહ્યા છે.

(3:15 pm IST)