Gujarati News

Gujarati News

News of Wednesday, 17th August 2022

સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટી ખાતે ધ્‍વજવંદન કરતા પ્રો. કલાધર આર્ય

રાજકોટ : સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પરિસર ખાતે સિન્‍ડિકેટ સદસ્‍ય પ્રોફે. કલાધર આર્યના હસ્‍તે ધ્‍વજ વંદન સાથે ગરીમાપૂર્ણ રીતે સ્‍વાતંત્ર્ય પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી.  આકાશમાંથી થઈ રહેલી અમૃતવર્ષા વચ્‍ચે આઝાદીના અમૃતપર્વની ઉજવણી કરવા વિશાળ સંખ્‍યામાં ઉપસ્‍થિત યુનિવર્સિટી પરિવારજનોને સંબોધિત કરતાં પ્રોફે. આર્યએ જણાવ્‍યું હતું કે સૌરાષ્ટ્ર વિશ્વ વિધાલયના આધ કુલપતિ શ્રધ્‍ધેય ડોલરરાય માંકડના પુણ્‍ય સ્‍મરણ સાથે સૌરાષ્ટ્ર વિશ્વ વિદ્યાલયના આપ સહુ પરિવારજનોમાં બિરાજમાન પરમ તત્ત્વને સાદર વંદન કરું છું. રાષ્ટ્રગીત ગાન સાથે આપણે સહુએ કેવળ આપણાં રાષ્ટ્ર ધ્‍વજને જ વંદન નથી કર્યા પરંતુ શૌર્ય, ત્‍યાગ અને બલિદાનને પણ વંદન કર્યા છે. પ્રકાશ, શાંતિ અને સચ્‍ચાઈને વંદન કર્યા છે. શ્રદ્ધા, સમૃદ્ધિ અને આનંદને વંદન કર્યા છે. ભલાઈ, ભક્‍તિ, આત્‍મસંયમ, સંવેદના, નૈતિકતા, ન્‍યાય, નમ્રતા અને કરુણાને વંદન કર્યા છે. પ્રસ્‍તુત તસ્‍વીરમાં ધ્‍વજવંદન સમયે પ્રાસંગીક ઉદબોધન કરતા પ્રો. કલાધર આર્ય ઉપસ્‍થિત આગેવાનો નજરે પડે છે.

(3:28 pm IST)