Gujarati News

Gujarati News

News of Wednesday, 17th August 2022

શિલ્પન ઓનીક્ષમાં આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી

રાજકોટ :  શહેરના રૈયા વિસ્તારમાં આવેલ શિલ્પન ઓનિક્ષ સોસાયટીમાં આઝાદીના અમૃત મહોત્સવની હર્ષાલ્લાસથી ઉજવણી કરવામાં આવી હતી. શિલ્પન ઓનીક્ષ રોશનીથી શણાગારવામાં આવી હતી. દેશ ભકિતના ગીતો વચ્ચે પ્રમુખ મનોજભાઇ પટેલે ધ્વજવંદન કરાવ્યું હતું. આ પ્રસંગે જાણીતા શિક્ષણ શાસ્ત્રી શ્રી મોહનભાઇ મણવરે પ્રાસંગીક ઉદબોધનમાં આઝાદી માટે  શહીદોના બલીદાનને યાદ કરી ભારત વિશ્વ ગુરૃ બને તેવુ સામર્થ્ય ધરાવે છે. લોકોએ તેની ફરજનું પણ પાલન કરવા ટકોર કરી હતી. આ પ્રસંગે નાના ભૂલકાએ ગીત રજૂ કર્યા હતાં.

(3:40 pm IST)