Gujarati News

Gujarati News

News of Wednesday, 17th August 2022

શુક્રવારે જન્‍માષ્‍ટમી નિમિતે

ઓશો સત્‍ય પ્રકાશ ધ્‍યાન મંદિરે ધ્‍યાનોત્‍સવ-કિર્તનોત્‍સવ-સંધ્‍યાધ્‍યાન

રાજકોટઃ ૨૪ કલાક ઓશો કાર્યથી ધમધમતુ વિશ્વનુ એક માત્ર ઓશો સત્‍ય પ્રકાશ ધ્‍યાન મંદિરે નિયમીત છેલ્લા ૩૯ વર્ષોથી અવારનવાર કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. જેનું સંચાલન સ્‍વામી સત્‍ય પ્રકાશ કરી રહ્યા છે.
આગામી તા.૧૯ ને શુક્રવારે જન્‍માષ્‍ટમી નિમિતે ઓશો સત્‍ય પ્રકાશ ધ્‍યાન મંદિરે સાંજના ૬.૩૦ થી ૮ દરમ્‍યાન જન્‍માષ્‍ટમી ઉત્‍સવ કિર્તન ઉત્‍સવ તથા સંધ્‍યા સત્‍સંગના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું છે.ઉપરોકત જન્‍માષ્‍ટમી ઉત્‍સવમાં સહભાગી થવા ઓશો સત્‍ય પ્રકાશ ધ્‍યાન મંદિર દ્વારા ઓશો સન્‍યાસી  તથા પ્રેમીઓને અનુરોધ કરેલ છે. સ્‍થળઃ ઓશો સત્‍ય પ્રકાશ ધ્‍યાન મંદિર, ગોંડલ રોડ, વિવેકાનંદ ઓવર બ્રિજ પાસે, ૪ વૈદવાડી, રાજકોટ
વિશેષ માહિતી માટે :  સ્‍વામી સત્‍ય પ્રકાશઃ- ૯૪૨૭૨૫૪૨૭૬, સંજીવ રાઠોડઃ-૯૮૨૪૮૮૬૦૭૦

 

(4:50 pm IST)