Gujarati News

Gujarati News

News of Wednesday, 17th August 2022

શહેરમાં કોરોનાના નવા ૪૭ કેસઃ ૨૭ દર્દીઓ સાજા થયા

કુલ કેસનો આંક ૬૫,૧૮૦એ પહોંચ્‍યોઃ હાલ ૨૬૯ દર્દીઓ સારવારમાં

રાજકોટ તા.૧૭: શહેરમાં ે ગઇકાલે કોરોનાના ૪૭ કેસ નોંધાયા જયારે ૨૭ દર્દી સાજા થયા હતા. હાલ ૨૬૯ દર્દીઓ સારવાર હેઠળ છે.
આ અંગે મનપાની સતાવાર યાદીમાં જણાવ્‍યા મુજબ ગઇકાલે શહેરમાં સાંજનાં ૬ વાગ્‍યા સુધીમાં ૪૭ કેસ નોંધાયા હતા. જયારે આજે બપોરે ૧૨ વાગ્‍યા સુધીમાં એકપણ કેસ નોંધાયો નથી. શહેરમાં અત્‍યાર સુધીમાં કુલ ૬૫,૧૮૦ પોઝિટિવ કેસ નોંધાઇ ચૂક્‍યા છે. જ્‍યારે આજ દિન સુધીમાં કુલ ૬૪૪૦૯  દર્દીઓએ કોરોનાને હરાવ્‍યો છે. ગઇકાલે કુલ ૯૬૬સેમ્‍પલ લેવાયા હતા. જેમા ૪૭ કેસ નોંધાતા પોઝિટિવ રેટ ૪.૮૭ ટકા થયો હતો. આજ દિન સુધીમાં ૧૯,૧૩,૯ર૪ લોકોના ટેસ્‍ટ કરવામાં આવ્‍યા છે. જેમાંથી ૬૫,૧૮૦ સંક્રમિત થતા પોઝિટિવ રેટ ૩.૪૧  ટકા થયો છે. રિકવરી રેટ ૯૮.૮૧ ટકાએ પહોંચ્‍યો છે.

 

(4:52 pm IST)