Gujarati News

Gujarati News

News of Thursday, 17th September 2020

કાળીપાટના 'ડબલ મર્ડર'ના કેસના એક આરોપીની વચગાળાની જામીન અરજી રદ

રાજકોટ, તા.૧૭: રાજકોટ તાલુકાના કાળીપાટ ગામ નવ વર્ષની પૂર્વ ચકચારી ડબલ મર્ડર કેસમાં ૧ શખ્સની વચગાળાની જામીન અરજી અદાલતે ફગાવી દીધી છે.

વધુ વિગત મુજબ શહેરના ભાગોળે કાળીપાટ ગામ ગત તા.૧૦-૭ -૧૧ના રોજ માતાજીના મઢ પાસે તાવો પ્રસાદ માં એકઠા થયેલા દરબાર કોળી પરિવારના કિશોર ગાળો બોલવાની ના પાડવાના મુદ્દે ખેલાયેલા ધિંગાણામાં વિશ્વજીત સિંહ જાડેજા અને મહેન્દ્રસિંહ જાડેજાનું મોત નિપજતા બનાવ ડબલ મર્ડરમાં પલ્ટાયો  હતો.

તાલુકા પોલીસ મથકમાં સત્યજીતસિંહ અનિરૂદ્ઘસિંહ દુધરેજીયા, ધીરૂ રાધા દુધરેજીયા, સુરેશ રાધા દુધરેજીયા, દિનેશ રાધા દુધરેજીયા, જેન્તી પ્રેમજી દુધરેજીયા, રવજી દેવશી દુધરેજીયા, બાબુ ઉકા દુધરેજીયા અને બે મહિલા સહિત ૧૦ શખ્સો સામે હત્યા અને હત્યાના કોશિશનો ગુનો નોંધી તપાસ ધરપકડ કરી તપાસ પૂર્ણ થતા જેલ હવાલે કર્યો હતો.

હાલ જેલ હવાલે રહેલા દિનેશ દેવશી દુધરેજીયા એ પોતાના પુત્રની સગાઈ નક્કી કરવા માટે વચગાળાના જામીન અરજી કરી હતી જેમાં બંને પક્ષોની લેખિત મૌખિત દલીલ બાદ મુળ ફરિયાદ ના વકીલ અને એ. પીપી અનિલભાઇ દેસાઇએ કરેલી ધારદાર દલીલ તેમજ કે સની સુનાવણી અંતિમ તબક્કામાં છે. જો જામીન આપવામાં આવશે તો સાક્ષીને ફોડવાના અને પુરાવાનો નાશ કરવામાં આવશે. તેવી દલીલ ધ્યાને લઇ સેશન્સ જ જ કે.ડી.દવેએ દિનેશ દુધરેજીયાની વચગાળાની જામીન અરજી નામંજૂર કરી છે. સ્પે.પી.પી અનિલભાઈ દેસાઈ અને મૂળ ફરિયાદ વતી એડવોકેટ તરીકે રૂપરાજ સિંહ પરમાર, અજીત ભાઇ પરમાર અને ભરતભાઈ સોમાણી રોકાયા છે.

(11:57 am IST)