Gujarati News

Gujarati News

News of Friday, 17th September 2021

લોકહ્રદય સમ્રાટ નરેન્દ્રભાઇ મોદીને જન્મદિવસની શુભેચ્છા પાઠવતુ શહેર ભાજપ

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની કાર્યકાળ દરમ્યાન વિશેષ ધ્યાન ભારતના સમૃધ્ધ ઐતિહાસિક અને સાંસ્કૃતિક વારસા પર આપવામાં આવ્યુ છે : કમલેશ મિરાણી

રાજકોટ,તા. ૧૭: શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મહામંત્રી જીતુ કોઠારી, કિશોર રાઠોડ, નરેન્દ્રસિંહ ઠાકુરે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને આજે ૧૭ સપ્ટેમ્બરે તેમના જન્મદિવસે શુભેચ્છા પાઠવતા જણાવ્યું હતુ કે સમગ્ર વિશ્વમાં ગુજરાત અને ભારત માતાનું નામ રોશન કરનાર નરેન્દ્રભાઈ મોદીના આજે ૭ર માં વર્ષમાં પ્રવેશ કરી રહયા છે ત્યારે નરેન્દ્રભાઈ મોદી એક સાદી જીવનશૈલી ધરાવતા નેતા તરીકે વિશ્વભરમાં પ્રસિઘ્ધ છે.

સરદાર વલ્લભભાઈ પટેલ અને પં.દીનદયાલ મુખર્જીનું અખંડ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના કાર્યકાળ દરમ્યાન વિશેષ ઘ્યાન ભારતના સમૃઘ્ધ ઐતિહાસિક અને સાંસ્કૃતીક વારસા પર આપવામાં આવ્યુ છે.ત્યારે ભમાં ભારતીભ ને પરમ વૈભવના શિખર પર બેસાડવા માટે કૃતિનિશ્ચયી અને સમગ્ર વિશ્વમાં ભારત માતાનું ગૌરવ વધારનાર   એવા આપણા લોકહ્રદય સમ્રાટ નરેન્દ્રભાઈ મોદીને તેમના જન્મદિવસે શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મહામંત્રી જીતુ કોઠારી, કિશોર રાઠોડ, નરેન્દ્રસિંહ ઠાકુરે ખુબ ખુબ શુભેચ્છા પાઠવી હતી.

(3:07 pm IST)