Gujarati News

Gujarati News

News of Friday, 17th September 2021

નરેન્દ્રભાઇના નેતૃત્વમાં ભારતે દેશ-વિદેશમાં નામના મેળવી

વડાપ્રધાનના આજે જન્મદિને પ્રદિપ ડવ, ડો.દર્શિતાબેન શાહ,પુષ્કર પટેલ, વિનુભાઇ ઘવા તથા સુરેન્દ્રસિંહ વાળાએ શુભેચ્છા પાઠવી છે

રાજકોટ,તા. ૧૭ : આજે તા. ૧૯ સપ્ટેમ્બરના દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના જન્મદિને મેયર સહિતના પદાધિકારીઓએ હ્રદયપૂર્વક શુભેચ્છા પાઠવી હતી.

મેયર ડો.પ્રદિપ ડવ, ડે.મેયર ડો.દર્શિતાબેન શાહ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઇ પટેલ, શાસક પક્ષ નેતા વિનુભાઈ ઘવા, દંડક સુરેન્દ્રસિંહ વાળાએ ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રીશ્રી અને હાલના દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિને હ્રદયપુર્વક શુભેચ્છા પાઠવેલ.

પ્રધાનમંત્રી ગુજરાતમાં મુખ્યમંત્રીશ્રી હતા ત્યારે રાજયના વિકાસના અનેક શિખરો સર કરેલ. દેશમાં વિકાસની દિશામાં ગુજરાત ગ્રોથ એન્જીન તરીકે ઉપસી આવેલ. જેના કારણે ખુબજ લોકચાહના મેળવેલ. ત્યારબાદ ૨૦૧૪થી પ્રધાનમંત્રીનું પદ ગ્રહણ કરી 'સૌનો સાથ, સૌનો વિકાસ'ના સુત્રોને સાર્થક કરી વિકાસની યાત્રાને ખુબજ આગળ વધારેલ છે. સમાજના તમામ વર્ગોને સ્પર્શતા અનેક નિર્ણયો કરેલ છે. તેમજ વૈશ્વિક કોરોના મહામારીમાં પણ જબરદસ્ત કામગીરી કરેલ. તેમજ દેશના દરેક નાગરિકને વિનામુલ્યે કોરોના સામે વેકિસન મળી રહે તેવો નિર્ણય કરેલ છે. હાલમાં, તમામ દેશોમાં વેકસીનેશનની કામગીરી ચાલી રહી છે.

(3:07 pm IST)