Gujarati News

Gujarati News

News of Friday, 17th September 2021

'સ્વામિનારાયણ ચોક કા રાજા' ગણેશોત્સવ

 સ્વામિનારાયણ ચોક ખાતે છેલ્લા ૧૩ વર્ષથી ગણેશ મહોત્સવનું આયોજન થાય છે. તે મુજબ આ વર્ષે પણ દાદાની વાજતે ગાજતે સ્થાપના કરાઇ છે. દરરોજ મહાનુભાવોના હસ્તે આરતી કરવામાં આવે છે. આ ધર્મોત્સવમાં મેયર ડો. પ્રદિપ ડવ, બાલાભાઇ બોરીચા, સ્વામિનારાયણ ચોક વેપારી એસો. ના પ્રમુખ ભાવશીંગભાઇ રાઠોડ, વિનુભાઇ ધવા, શાશકપક્ષના નેતા, સુરેન્દ્રસિંહ વાળા, દંડક નીતીનભાઇ રામણી કોર્પોરેટર, જીતુભાઇ સેલારા (દ્રષ્ટી), યોગેશભાઇ, મંગળાબેન સોઢા, કુસુમબેન તથા નેહાબેન જોષી વગેરેએ મહાઆરતીનો લાભ લીધો હતો. મહેમાનોનું ફલહારથી સ્વાગત કરવામાં આવેલ. ધર્મોત્સવમાં દરરોજ જાણીતા લોકમેળા ફેઇમ  કલાકાર તુલસીદાસ ગોંડલીયા દરરોજ ધાર્મિક કાર્યક્રમો આપી રહ્યા છે. સમગ્ર ધર્મોત્સવને સફળ બનાવવા શ્યામ ગ્રુપના આયોજક નારણભાઇ બોળીયા, રોહીતભાઇ બોળીયા, દિનેશભાઇ બોળીયા, મેહુલસિંહ રાઠોડ, ભુપતભાઇ પટેલ, આત્મન દુદકીયા, વજુભાઇ લુણાસીયા, યોગેશભાઇ સોની વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે. સવાર સાંજ આરતીમાં ભાવિક ભકતો લાભ લઇ રહ્યા છે. 

(3:14 pm IST)