Gujarati News

Gujarati News

News of Friday, 17th September 2021

પરસાણા પરિવાર દ્વારા એમ્બ્યુલન્સ અર્પણઃ રવિવારે રકતદાન કેમ્પ-રકતતુલા]

રાજકોટઃ તા.૧૭, જાણીતા લેન્ડ ડેવલોપર્સ જયંતિભાઇ કેશવભાઇ પરસાણા (નમન ઇન્ફ્રાસ્ટકચર પ્રાઇવેટ લીમીટેડ અને રીષી ઇન્ફ્રાસ્ટ્રકચર પ્રાઇવેટ લીમીટેડના સંચાલક) તેમજ શ્રીમતી ભારતીબેન જયંતિભાઇ પરસાણાની ૩૬મી લગ્નતિથિ નિમિતે સેવાયજ્ઞનું આયોજન કરાયું છે. પરસાણા પરિવારમાં આવતાં દરેક શુભપ્રસંગોની સેવામય ઉજવણી કરતાં જયંતિભાઇ કેશવભાઇ પરસાણા, શ્રીમતી ભારતીબેન જયંતિભાઇ પરસાણા તેમજ પુત્રો રીષી જયંતિભાઇ પરસાણા, નમન જયંતિભાઇ પરસાણા પરીવાર દ્વારા ૩૫ લાખના ખર્ચે આત્યાધુનિક એમ્બ્યુલન્સ સેવાકીય સંસ્થા શ્રી ક્રાંતિ માનવ સેવા ટ્રસ્ટને અર્પણ કરશે.

ક્રાંતિ માનવ સેવા ટ્રસ્ટ પરસાણા પરિવારના સંપૂર્ણ કરવાના પ્રસંગે ટ્રસ્ટ દ્વારા મહારકતદાન કેમ્પનું આયોજન તા.૧૯ને રવિવારે સવારે ૮ થી બપોરે ૧ વાગ્યા સુધી પટેલવાડી, બેડીપરા, ભાવનગર રોડ રાજકોટ ખાતે થેલેસેમીયા પીડીત બાળકો, જરૂરીયાત મંદ દર્દીનારાયણ અને દ્રરીદ્ર નારાયણ માટે કરવામાં આવ્યુ છે અને દેહરાન, ચક્ષુદાન, અંગદાન ઇચ્છતા લોકોને ફોર્મ ભરી જાહેરાત કરવા માટે આયોજન કરવા માટે આયોજન કરેલ છે. આ ઉપરાંત કંુડારીયા ફાઉન્ડેશન દ્વારા હિમોગ્લોબીન માટેની દવાનું ફ્રીમાં વિતરણ કરવામાં આવશે.

આ કેમ્પને સફળ બનાવવા માટે શ્રી જયંતિભાઇ પરસાણા (મો.૯૮૨૪૮ ૬૬૩૧૧) શ્રીમતી ભારતીબેન જયંતિભાઇ પરસાણા, રીષી જે પરસાણા મો.૯૬૨૪૪ ૬૮૮૮૮, નમન જે પરસાણા (મો.૯૫૭૪૪ ૦૦૦૦૮) સાથે ચંદ્રેશ ડોબરીયા, જયંતિ લીંબાસીયા, મનસુખ હીરાણી, રજની મોલીયા, શાન્તીભાઇ ફળદુ વિગેરે જોડાયા છે. 

(4:00 pm IST)