Gujarati News

Gujarati News

News of Friday, 17th September 2021

દેવભૂમી દ્વારકા જીલ્લાના ઓખા મરીન પોલીસ સ્ટેશનના અપહરણ પોકસોના ગુનાના આરોપીને હસ્તગત કરી સર્કલ પોલીસ ઇન્સપેકટર દ્વારકાને સોપવા રાજકોટ ક્રાઇમ બ્રાન્ચની કાર્યવાહી

પીએસઆઇ વી.જે.જાડેજા ટીમના જયેશભાઇ અને ચેતનસિંહ ચુડાસમાની બાતમી

રાજકોટ:  ઓખા મરીન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા અપહરણ પોકસોના ગુનાનો આરોપી સોયમ ઉર્ફે શબ્બીર કાસમભાઇ નારીયા (રહે.પરમાસલ કવાટર મફતીયાપ્લોટ ઓખા જી. દ્વારકા) રાજકોટમાં સોની બજાર દરબારગઢ આર.કે.આંગડીયા પાસે હોવાની બાતમી એએસઆઇ જયેશભાઇ પી. નીમાવત તથા ચેતનસિંહ ચુડાસમાને મળતા તેને પકડી લઈ દ્વારકા સર્કલ પોલીસ ઇન્સપેક્ટરને સોંપવા તજવીજ કરવામાં આવી છે. 

આ ગુનો 6,09,2021ના રોજ બન્યો હતો. ઉપરોકત આરોપી સાથે ભોગ બનનાર મળી આવેલ હોય જેથી આરોપી તથા ભોગ બનનારને હસ્તગત કરી દ્વારકા પોલીસને સોપવા તજવીજ થઈ છે. આ કામના આરોપીના લગ્ન સને ૨૦૧૮-૨૦૧૯ ના વર્ષમાં પહેલા થયેલ હતા અને હાલ આરોપી તથા તેની પ્રથમ પત્નીથી

છેલ્લા બે વર્ષથી અલગ-અલગ રહે છે.

શહેર પોલીસ કમિશ્નરશ્રી મનોજ અગ્રવાલ તથા સંયુકત પોલીસ કમિશ્નર ખુરશીદ અહેમદ તથા ડીસીપી પ્રવિણકુમાર મીણા તથા ડીસીપી મનોહરસિંહ જાડેજા અને એસીપી ક્રાઇમ ડી.વી.બસીયાની સુચના અન્વયે રાજકોટ શહેર તથા ગુજરાત રાજયના નાસ્તા ફરતા આરોપીઓ પકડી પાડવા સુચના આપેલ હોઇ જે અન્વયે  પો.ઇન્સ.વી. કે.ગઢવીના માર્ગદર્શન હેઠળ ડી.સી.બી. પોલીસ સ્ટેશન ના પો.સબ ઇન્સ. વી.જે.જાડેજા નાઓ તથા એ.એસ.આઇ. જયેશભાઇ પી. નિમાવત તથા ચેતનસિંહ વી.ચુડાસમાં તથા હિતેન્દ્રસિંહ પી. ઝાલા તથા પો.હેડ.કોન્સ. ભરતસિંહ બી.પરમાર તથા પો.કોન્સ. મહેશભાઇ બી.ચાવડા તથા શકિતસિંહ વી. ગોહીલ તથા સ્નેહભાઇ જી. ભાદરકા તથા કુલદિપસિંહ બી.જાડેજા તથા મહીલા પો.કોન્સ. નેહલબેન મકવાણા વિગેરેએ આ કામગીરી કરી હતી.

(8:49 pm IST)