Gujarati News

Gujarati News

News of Wednesday, 18th January 2023

મેટોડાથી કાલાવડના વડાળી ગામે શિતલ મંગેતરને મળવા ગયા બાદ ઝેર પીધું: મોત

મુળ મહિસાગરની યુવતિની બે વર્ષ પહેલા સગાઇ થઇ હતીઃ રાજકોટમાં દમ તોડયો

રાજકોટ તા. ૧૮: મેટોડા પરિવાર સાથે રહેતી મુળ મહિસાગરની શિલ્‍પા મહેશભાઇ કટારા (ઉ.વ.૨૨) નામની યુવતિ ૧૩/૧ના રોજ કાલાવડના વડાળી ગામે તેના મંગેતર કિરણભાઇને મળવા ગઇ હોઇ ત્‍યાં ઝેરી દવા પી લેતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાઇ હતી. અહિ ગત સાંજે મોત નિપજતાં હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે કાલાવડ તાલુકા પોલીસને જાણ કરી હતી.

પરિવારજનોના કહેવા મુજબ મૃત્‍યુ પામનાર શિલ્‍પા સાત બહેનમાં મોટી હતી. તેની બે વર્ષ પહેલા કિરણભાઇ સાથેસગાઇ થઇ હતી. કિરણભાઇએ વડાળી ગામે ખેતર વાવવા રાખ્‍યું હોઇ શિલ્‍પા ૧૩મીએ તેને મળવા ગઇ હતી અને ત્‍યારે ત્‍યાં દવા પી લેતાં કિરણભાઇએ જ હોસ્‍પિટલે ખસેડી હતી. એ પછી તે જતો રહ્યો હતો. સારવાર દરમિયાન તેણીએ ગત સાંજે દમ તોડી દીધો હતો. તેણીએ દવા જાતે પીધી કે અન્‍ય કંઇ બન્‍યું હતું? તે અંગે કાલાવડ પોલીસે તપાસ હાથ ધરી છે. શિલ્‍પાના પિતા અને પરિવારજનો ખેત મજૂરી કરે છે.

(11:43 am IST)