Gujarati News

Gujarati News

News of Wednesday, 18th January 2023

દાઉદી વ્હોરા સમાજના ધર્મગુરૂના દર્શન કરી ભાવવિભોર બન્યા રિપોર્ટર મુસ્તુફા લાકડાવાલા

રાજકોટઃ વિશ્વભરના દાઉદી વ્હોરા સમાજના ત્રેપનમા દાઈ સર્વોચ્ચ બાદ ડો. ધર્મગુરૂ ડો. સૈયદના સાહેબ (ત.ઉ.શ.)ઍ જામનગરમાં ગત શનિવારે વ્હોરા સમાજના તેમના મહાન ઓલિયા ઈસ્માઈલ બદરૂદ્દીનના ઉર્ષ નિમિતે ખાસ પધરામણી કરી હોઇ ગઇકાલે તેઅો જામનગરથી અમદાવાદ ટ્રેન મારફત જવા રવાના થયા ત્યારે રાજકોટ સહિતના રેલ્વે સ્ટેશનો પર મોટી સંખ્યામાં વ્હોરા સમાજના લોકો દર્શનાર્થે ઉમટી પડ્યા હતાં. રાજકોટ જંકશન રેલ્વે સ્ટેશને પણ હજારો વ્હોરા સમાજના લોકો દર્શનાર્થે આવ્યા હતાં. જેમાં રાજકોટ શહેરની ન્યુઝ ચેનલના રિપોર્ટર મુસ્તુફા હોજેફાભાઇ લાકડાવાલાઍ પણ ધર્મગુરૂના દર્શન ઍકદમ નજીકથી કરી આશીર્વાદ મેળવ્યા હતાં. ધર્મગુરૂના દર્શનથી મુસ્તુફા લાકડાવાલા ભાવવિભોર બની ગયા હતાં.

(2:49 pm IST)