Gujarati News

Gujarati News

News of Wednesday, 18th January 2023

સમસ્‍ત બ્રહ્મસમાજ રાજકોટ દ્વારા ઓપન ગુજરાત ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્‍ટનું આયોજનઃ ૨૯મીથી પ્રારંભ

રેલ્‍વે લોકો કોલોની મેદાનમાં બળુકી ટીમો વચ્‍ચે જામશે જંગઃ આઇસીસી કન્‍ડકટ નિયમો પ્રમાણે તમામ મેચ રમાડાશેઃ તા.૨૧ સુધી એન્‍ટ્રીની નોંધણીઃ ઇનામોની વણજાર

રાજકોટ તા.૧૮: પ્રતિ વર્ષની માફક આ વર્ષે પણ સ્‍વ.અશ્વિનભાઇ મહેતા ઓપન ગુજરાત ટેનીસ ક્રિકેટ ટુર્નામેન્‍ટ તા.૨૯ જાન્‍યુઆરીથી રેલ્‍વે ક્રિકેટ ગ્રાઉન્‍ડ(લોકો કોલોની) ખાતે રાખવામાં આવેલ છે.

સમસ્‍ત બ્રહ્મસમાજ રાજકોટના અગ્રણી કશ્‍યપભાઇ શુકલ તથા સમસ્‍ત બ્રહ્મસમાજ રાજકોટના પ્રમુખ દર્શિતભાઇ જાનીના માર્ગદર્શન હેઠળ આ ટેનીસ ક્રિકેટ ટુર્નામેન્‍ટનું ચાલુ વર્ષ એક નવા અંદાજથી આયોજન કરવામાં આવેલ છે. અમદાવાદ, સુરત, પોરબંદર, જામનગર, સુરેન્‍દ્રનગર, જુનાગઢ તેમજ રાજકોટ શહેરની નામાંકિત અને બળુકી ક્રિકેટ ટીમો વચ્‍ચે તા.૨૯/૦૧/૨૦૨૩થી રેલ્‍વે(લોકો કોલોની) ક્રિકેટ ગ્રાઉન્‍ડ પર ક્રિકેટનો મહાજંગ ખેલાવાની શરૂઆત થશે.

ટુર્નામેન્‍ટના ગુજરાતમાંથી આવતા તમામ બ્રહ્મપરિવારના ખેલાડીઓ માટે રહેવા તથા જમવાની ઉતમ વ્‍યવસ્‍થા બ્રહ્મસમાજ તરફથી આપવામાં આવશે. આ સમગ્ર ટુર્નામેન્‍ટ આઇસીસી કન્‍ડકટ નિયમો પ્રમાણે રમાડવામાં આવશે. સેમીફાઇનલથી દરેક ટીમોને કલરફુલ ડ્રેસ આપવામાં આવશે. સ્‍ટેટ પેનલના અમ્‍પાયરો દ્વારા આ સમગ્ર ટુર્નામેન્‍ટનું અમ્‍પાયરિંગ કરવામાં આવશે.

ચેમ્‍પિયન ટીમને રોકડ પુરસ્‍કાર તથા રનિંગ શિલ્‍ડ આપવામાં આવશે તેમજ રનર્સઅપ ટીમને રોકડ પુરસ્‍કાર તથા શિલ્‍ડ આપવામાં આવશે. આ ટુર્નામેન્‍ટમાં ઉત્‍કૃષ્‍ટ દેખાવ કરનાર પ્‍લેયરને મેન ઓફ ધ સિરીઝ તરીકે તેમજ બેસ્‍ટ બેટ્‍સમેન તથા બેસ્‍ટ બોલર તથા મેન ઓફ ધ મેચને ઇનામ આપવામાં આવશે.

આ સમગ્ર ટુર્નામેન્‍ટ માટે સમસ્‍ત બ્રહ્મસમાજના મોભીશ્રી કશ્‍યપભાઇ શુકલ, પ્રમુખ શ્રી દર્શિતભાઇ જાની, દિપકભાઇ પંડયા, કમલેશભાઇ ત્રિવેદી, નલીનભાઇ જોશી, અતુલભાઇ વ્‍યાસ, જર્નાદનભાઇ આચાર્ય, દક્ષેશભાઇ પંડયા, પ્રશાંતભાઇ જોશી, જયેશભાઇ જાની, જીજ્ઞેશભાઇ ઉપાધ્‍યાય વગેરે તથા બ્રહ્મઆગેવાનોનો સહયોગ અને સહકાર મળેલ છે.

આ સમગ્ર ટુર્નામેન્‍ટની તૈયારી દર્શિતભાઇ જાની, મયુરભાઇ પાઠક, હિતેષભાઇ જાની, જાનીદાદાના માર્ગદર્શન હેઠળ થઇ રહી છે. ટુર્નામેન્‍ટની એન્‍ટ્રી તા.૨૧/૦૧/૨૦૨૩ સુધીમાં મુરલીધર હાઇસ્‍કુલ ૮/૧૧ વર્ધમાન નગર રાજકોટ ખાતે જમા કરાવી દેવા અને વધુ માહિતી માટે હિતેષભાઇ જાની મો. ૯૮૯૮૨ ૧૫૯૩૫, મયુરભાઇ પાઠક મો.૯૮૨૪૨ ૧૩૯૭૭, નરેન્‍દ્રભાઇ જાની મો. ૯૭૨૪૯ ૧૮૯૫૬નો સંપર્ક કરવા જણાવાયુ છે.

(3:36 pm IST)