Gujarati News

Gujarati News

News of Wednesday, 18th January 2023

હોમિયોપેથીક-એકયુપ્રેસર સારવાર કેમ્‍પ

બજરંગ મિત્ર મંડળ ટ્રસ્‍ટ અને કામનાથ મહાદેવ મંદિર ટ્રસ્‍ટના સંયુકત ઉપક્રમે હોમીયોપેથીક અને એકયુપ્રેસર સારવારના સંગમથી દર્દીઓને કાયમી ધોરણે સાજા કરવાના ભાગરૂપે તાજેતરમાં ખાસ નિદાન સારવાર કેમ્‍પનો પ્રારંભ બજરંગ મિત્ર મંડળ ટ્રસ્‍ટના ડો.એન.જે.મેઘાણીના હસ્‍તે થયો હતો. જેમાં બજરંગ મિત્ર મંડળ ટ્રસ્‍ટના ટ્રસ્‍ટી રોહિતભાઇ કારિયા, ધૈર્યભાઇ, રાજદેવ, ગોરધનભાઇ લાલસેતા, મનુભાઇ ટાંક, જે.ડી.ઉપાધ્‍યાય, ચિરાગભાઇ ધામેચા, કામનાથ મહાદેવ મંદિરના પ્રિયવદનભાઇ કકકડ, લક્ષ્મીદાસભાઇ ચૌહાણ, ભોલા મહારાજ વગેરે હાજર રહયા હતા. આ કેમ્‍પમાં હોમીયોપેથી અને એકયુપ્રેસરના અસંખ્‍ય દદીઓએ લાભ લીધો હતો.

(4:14 pm IST)