Gujarati News

Gujarati News

News of Wednesday, 18th January 2023

ઉન્‍નતી સ્‍કુલ દ્વારા જનજાગૃતિ રેલીઃ

ઉન્નતિ સ્‍કુલના ડિરેકટર સંજયભાઇ જોશીની પ્રેરણાથી ગાંધીગ્રામ વિસ્‍તારમાં મકરસંક્રાતિ પર્વ દરમ્‍યાન ચાઇનીઝ દોરાથી થતા ઘાયલ પક્ષીઓ અને બાળકોની સલામતીની જાગૃતતા માટેની રેલી યોજવામાં આવી હતી. આશરે ૩૦૦ જેટલા બાળકો અને ૧૦ જેટલા શિક્ષકોએ ભાગ લીધેલો. આ રેલીનું નેતૃત્‍વ, ફોરેસ્‍ટ ડીપાર્ટમેન્‍ટમાંથી શકિતસિંહ તથા ઉન્નતિ સ્‍કુલમાંથી હેમાબેન દરજી, વૈશાલીબેન પુજારા, યોગીનીબેન રાવત, સોનલબેન રાઠોડ દ્વારા કરવામાં આવેલ.

(4:15 pm IST)