Gujarati News

Gujarati News

News of Wednesday, 18th January 2023

નડ્ડાજીના કાર્યકાળને લંબાવવાનો નિર્ણય આવકાર્યઃ કમલેશ મિરાણી

રાજકોટ,તા.૧૮: શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મહામંત્રી જીતુ કોઠારી, કિશોર રાઠોડ, નરેન્‍દ્રસિંહ ઠાકુરએ ભારતીય જનતા પાર્ટીના રાષ્‍ટ્રીય પ્રમુખ તરીકે જે.પી. નડ્ડાજીના કાર્યકાળને આગામી જૂન- ૨૦૨૪  સુધી લંબાવવાના નિર્ણયને આવકારી જે.પી. નડ્ડાજીને અભિનંદન પાઠવતા જણાવેલ કે   નડ્ડાજીના નેતૃત્‍વમાં પાર્ટીએ અનેક રાજયોમાં યોજાયેલી ચૂંટણીઓમાં ભવ્‍ય વિજય હાંસલ કર્યો છે અન નડ્ડાજીના નેતૃત્‍વમાં પાર્ટીએ તેનો વ્‍યાપ અને પહોંચ વધારી છે. સમગ્ર દેશમાં નરેન્‍દ્રભાઈ મોદીની લોકપ્રિયતા વધારવામાં જે.પી. નડ્ડાજીનું ઘણુ યોગદાન રહેલું છે.

ત્‍યારે આગામી લોકસભા-૨૦૨૪ની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીના નેતૃત્‍વમાં અને જે.પી. નડ્ડાજીના સંગઠનાત્‍મક નેતૃત્‍વમાં જંગી લીડથી જીત પ્રાપ્‍ત કરશે. તેવો દૃઢ આશાવાદ શ્રી મિરાણી, શ્રી કોઠારી, શ્રી રાઠોડ, શ્રી ઠાકુરએ વ્‍યકત કર્યો છે.

(4:34 pm IST)