Gujarati News

Gujarati News

News of Thursday, 18th February 2021

લોઠડાની ૧૬ વર્ષની સગીરા લાપતા : અપહરણનો ગુનો

ખોખડદળનો દિનેશ મેથાણીયા ભગાડી ગયાની શંકા

રાજકોટ,તા. ૧૮: શહેરના સરધાર નજીક રહેતી ૧૬ વર્ષની સગીરા મકરસંક્રાંતિના દિવસે પોતાના ઘરેથી નિકળ્યા બાદ પરત ન આવતા આજીડેમ પોલીસ મથકમાં ફરિયાદ થઇ છે.

મળતી વિગત મુજબ જસદણ પંથકમાં વતની હાલ રાજકોટના લોઠડામાં રહેતી ૧૬ વર્ષની સગીરા મકરસંક્રાંતિની રાત્રે પોતાના ઘરે હતી. બાદ સવારે સગીરા જોવામાં ન આવતા પરિવારજનોએ આજુબાજુ અને સગાસંબંધીના ઘરે તપાસ કરતા સગીરાનો કોઇ પતો લાગ્યો ન હતો. પરિવારજનોએ સગીરાની તપાસ દરમ્યાન સગીરા જ્યાં પાપડ બનાવવાનું કામ કરતી હતી ત્યાં કામ શખ્સ ભગાડી ગયો હોવાની શંકા જતા પરિવારજનોએ આજીડેમ પોલીસ મથકમાં જાણ કરતા આજીડેમ પોલીસે સગીરાના ભાઇની ફરિયાદ દાખલ કરી પીઆઇ વી.જે.ચાવડા અને જાવેદભાઇ રીઝવીએ તપાસ હાથ ધરી છે.

(3:19 pm IST)