Gujarati News

Gujarati News

News of Thursday, 18th February 2021

બાબા રામદેવજી આશ્રમ દ્વારા યોજાય સમુહલગ્ન : ૬ યુગલો જોડાયા

રાજકોટ : બેડીનાકા બહાર આવેલ જય બાબા રામદેવજી આશ્રમ ખાતે બાબા રામદેવ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા તાજેતરમાં ૮ મા સર્વજ્ઞાતિય સમુહલગ્નનું આયોજન કરાયુ હતુ. જેમાં ૬ યુગલો જોડાયા હતા. મહંતશ્રી માલાદાસબાપુ ગુરૂશ્રી પૂર્ણદાસબાપુ (મો.૯૯૭૯૦ ૮૪૧૩૯), મહંત શ્રી રાઘવદાસબાપુ માધાપર, કોટવાળ શ્રી નરસંગદાસબાપુ અને અન્ય સંતોએ ઉપસ્થિત રહી આશીર્વચનો આપ્યા હતા. આ પ્રસંગે  પૂર્વ મેયર જનકભાઇ કોટક, દીનેશભાઇ ઝાલા, દલસુખભાઇ અગ્રાવત, જયેશભાઇ ઉકેડીયા, વિજયભાઇ રામાનંદી તેમજ વોર્ડ નં. ૩ ના ભાજપના ઉમેદવારોએ ઉપસ્થિત રહી નવ વિવાહીતોને શુભેચ્છા આપી હતી.

(4:00 pm IST)