Gujarati News

Gujarati News

News of Tuesday, 18th May 2021

'તુ અમારી કેમ બાતમી આપે છે ' કહી અર્જુન ચૌહાણ પર હુસેન ઉર્ફે ભોલીયો અને ઇમરાનનો છરીથી હુમલો

ગોંડલના ગુંદાળા દરવાજા પાસે બનાવઃ ચાર શખ્શો સામે ગુનો

રાજકોટઃ તા.૧૮, ગોંડલના ગુંદાળા દરવાજા પાસે 'તુ અમારી કેમ બાતમી આપે છે' કહી યુવાનને ચાર શખ્સોએ ઝઘડો કરી છરી વડે હુમલો કરતા ફરીયાદ થઇ છે.

મળતી વિગત મુજબ ગોંડલના સીટી બજારમાં બાવાબારી શેરીમાં રહેતા અર્જુન મહેન્દ્રભાઇ ચૌહાણ (ઉ.વ.૨૯) ગઇકાલે ગુંદાળા દરવાજા પાસે હતો ત્યારે ઇમરાન હસનભાઇ કટારીયા અગાઉ વિદેશી દારૂના કેસમાં પડકાયો હોઇ જેની બાતમી પોલીસને અર્જુન ચૌહાણે આપી હોવાનું ઇમરાને માની ઇમરાન હસન કટારીયા અને હુસેન ઉર્ફે ભોલીયો દીલખરભાઇ મકરાણી તથા બે અજાણ્યા શખ્સોએ આવી 'તુ અમારી કેમ બાતમી આપે છે' કહી ગાળો આપી ઝઘડો કરી ઇમરાન કટારીયાએ ઉશ્કેરાઇને અર્જુન ચૌહાણને છરીનો ઘા ઝીંકી ડાબા પડખાના ભાગે ઇજા કરી હતી મિત્ર મોહીત વચ્ચે પડતા તેને પણ ઢીકા પાટુનો મારમારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. દેકારો બોલતા આસપાસના લોકો એકઠા થતા ચારેય શખ્સો ભાગીગયા હતા. બાદ અર્જુન ચૌહાણને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડયો હતો. આ બનાવ અંગે અર્જૂન ચૌહાણે ગોંડલ સીટી પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા પીએસઆઇ બી.એલ. ઝાલાએ તપાસ હાથ ધરી છે.

(12:09 pm IST)