Gujarati News

Gujarati News

News of Tuesday, 18th May 2021

વાવાઝોડા સંદર્ભે PDU હોસ્પિટલના ડોમમાં સારવાર લઇ રહેલા કોરોનાના ૯૭ દર્દીઓને મોહનભાઇ હોલમાં સારવાર

રાજકોટ સીટી પ્રાંત-૧ શ્રી ગઢવી દ્વારા ૪ બસો બોલાવી બે હોલમાં સારવાર અપાઇ : ભોજનની પણ વ્યવસ્થા

રાજકોટ : ભયાનક વાવાઝોડા સંદર્ભે ચૌધરી હાઇસ્કુલ અને સિવિલ હોસ્પિટલના ડોમમાં સારવાર લઇ રહેલા કોરોનાના ૯૭ દર્દીઓને કલેકટર તંત્રે સમયસૂચકતા વાપરી ચૌધરી હાઇસ્કુલ પાસે આવેલા અદ્યતન મોહનભાઇ હોલ ખાતે ખસેડી સારવાર શરૂ કરાવી છે. સીટી પ્રાંત-૧ શ્રી સિધ્ધાર્થ ગઢવીએ વાવાઝોડા - વરસાદની ભયાનકતા જાણી ગઇકાલે બપોરે જ સીટી બસ મારફત તમામ દર્દીના સગાઓને વિડીયોકોલથી વાત કરાવી ખસેડી લેવાયા હતા. લેડીઝ - જેન્ટસ બંને દર્દીને ગાદલા સહિતની સુવિધા સાથે અલગ - અલગ હોલમાં રખાયા છે. તમામને ચા-નાસ્તો-ભોજનની વ્યવસ્થા સ્વા. મંદિર દ્વારા થઇ રહી છે.

(3:04 pm IST)